Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
૫ જુલાઈએ બની રહ્યો અદ્ભુત યોગ, એક નહીં ચાર દેવી દેવતા લુંટાવશે ત્રણ રાશિ પર ધન - Gujarat Beat

૫ જુલાઈએ બની રહ્યો અદ્ભુત યોગ, એક નહીં ચાર દેવી દેવતા લુંટાવશે ત્રણ રાશિ પર ધન

હાલમાં જેઠ માસ ચાલી રહ્યો છે અને ૫ જુલાઇ જેઠ માસની અમાવાસ્યા છે. હિંદુ ધર્મમાં અમાવસ્યા તિથિને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. તેમજ તેમના નિમિત્તનું દાન- ધર્મ પણ કરવામાં આવે છે. તેનાથી પિતૃઓ તરફથી આશીર્વાદ મળે છે.

આ ઉપરાંત અષાઢ મહિનાની અમાવાસ્યાના દિવસે ભગવાન શિવ, શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ સિવાય શનિ આ સમયે વક્રી ગતિ કરી રહ્યા છે. તેથી આ જેઠ અમાવસ્યા શનિદેવની કૃપા મેળવવાનો પણ અવસર છે. શશ રાજયોગ તમને ખુશ કરશે

આ વખતે ૫ મી જુલાઈ ૨૦૨૪ ના રોજ જેઠ અમાવસ્યાના દિવસે આ બધાની પૂજા કરો. તેમજ જેઠ અમાવસ્યા પર શનિ કુંભ રાશિમાં રહીને શશ રાજયોગ સર્જી રહ્યા છે. આ યોગ કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાના છે. જાણો ૫ મી જુલાઈ ૨૦૨૪ ના રોજ કઈ કઈ રાશિઓ ચમકવા જઈ રહી છે. આ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે

મિથુન: જેઠ અમાવસ્યા પર બની રહેલ શુભ યોગ મિથુન રાશિના લોકો માટે ખૂબ જ શુભ છે. આ લોકોને પ્રમોશન મળવાના ચાન્સ છે. કોઈ સારા સમાચાર મળી શકે છે. તમે જીવનમાં હળવાશ અનુભવશો. તમને થોડા સમય માટે જૂની સમસ્યાઓથી રાહત મળશે. ખાસ કરીને વેપારી લોકો નવી ઊંચાઈઓ પર પહોંચશે. નવા સંપર્કો બનશે.

મકર: જેઠ અમાવસ્યાના દિવસે શનિદેવ મકર રાશિના લોકો પર વિશેષ કૃપા કરશે. શનિ મકર રાશિના સ્વામી છે અને આ લોકોના ભાગ્યને ચમકાવશે. તમને સારા સમાચાર મળી શકે છે. આર્થિક લાભ થશે. તમને ઓફિસમાં દરેકનો સહયોગ ચોક્કસ મળશે. તમારો સમય સારો રહેશે.

કુંભ: કુંભ રાશિના સ્વામી પણ શનિ છે. ઉપરાંત, શનિ હાલમાં કુંભ રાશિમાં વક્રી ચાલ ચાલી રહ્યા છે. જેઠ અમાવસ્યાના દિવસે શનિનું કુંભ રાશિમાં રહેવાથી અને શશ રાજયોગ રચવાથી આ રાશિના લોકોને ઘણો ફાયદો થશે. તમને તમારી મહેનતનું ફળ મળશે. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. ઘરમાં આનંદથી સમય પસાર થશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)