Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
આખરે કેમ શ્રી કૃષ્ણે કર્યા હતા ૧૬ હજાર વિવાહ? થયા હતા દોઢ લાખથી વધુ પુત્ર.. જાણો - Gujarat Beat

આખરે કેમ શ્રી કૃષ્ણે કર્યા હતા ૧૬ હજાર વિવાહ? થયા હતા દોઢ લાખથી વધુ પુત્ર.. જાણો

ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિની ઉજવણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. વિવિધ સ્થળોએ જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મથુરા- વૃંદાવન- દ્વારકા સહિત અનેક સ્થળોએ જન્માષ્ટમીનું મોટા પાયે આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે જન્માષ્ટમી ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ ઉજવવામાં આવશે. આ પ્રસંગે એક રસપ્રદ દંતકથા જાણીએ કે શા માટે ભગવાન કૃષ્ણએ ૧૬ હજાર લગ્ન કર્યા હતા અને તેમને દોઢ લાખથી વધુ પુત્રો થયા હતા.

શ્રી કૃષ્ણને હતી આઠ પટરાણીઓ: મહાભારત અનુસાર ભગવાન શ્રી કૃષ્ણને ૧૬,૧૦૭ પત્નીઓ હતી. તેમના પહેલા લગ્ન દેવી રુક્મિણી સાથે થયા હતા અને તેના માટે તેમણે રુક્મિણીનું અપહરણ કર્યું હતું. આ પછી તેમણે જાંબવંતી, સત્યભામા, કાલિંદી, મિત્રબિન્દા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા સાથે પણ લગ્ન કર્યા હતા. આ આઠ પત્નીને ભગવાન કૃષ્ણની પટરાણીઓ કહેવામાં આવે છે પરંતુ આ સિવાય પણ શ્રી કૃષ્ણજીએ હજારો લગ્નો કર્યા હતા.

એટલા માટે શ્રી કૃષ્ણે કર્યા હતા ૧૬ હજાર લગ્નઃ પૌરાણિક કથા અનુસાર, શ્રી કૃષ્ણએ ૧૬ હજાર કન્યાઓને ભૂમાસુર નામના રાક્ષસના અત્યાચારથી બચાવ્યા હતા અને તેમને કેદમાંથી મુક્ત કરાવી હતી. જ્યારે તે યુવતીઓ પોતાના ઘરે પરત ગઈ તો સમાજ અને પરિવારના લોકોએ તેમને ચારિત્રહીન ગણાવીને દત્તક લેવાની ના પાડી દીધી હતી. ત્યારે ભગવાન કૃષ્ણે ૧૬ હજાર રૂપ ધારણ કરીને આ બધી છોકરીઓ સાથે લગ્ન કર્યા હતા.

શ્રી કૃષ્ણને હતા દોઢ લાખથી વધુ પુત્રો: ભગવાન કૃષ્ણના પુત્રો અને પુત્રીઓ વિશે ઘણી વાર્તાઓ છે. પુરાણો અનુસાર શ્રી કૃષ્ણજીને ૧ લાખ ૬૧ હજાર ૮૦ પુત્ર હતા. ખરેખર, તેમની તમામ પત્નીઓને ૧૦-૧૦ પુત્રો અને ૧-૧ પુત્રીઓ હતી.

આ મુજબ ભગવાન કૃષ્ણને ૧ લાખ ૬૧ હજાર ૮૦ પુત્રો અને ૧૬ હજાર ૧૦૮ પુત્રીઓ હતી. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)