Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
ઘરમાં આ જાનવર દેખાય તો ગભરાવું નહીં, સમજો જલ્દી મળવાનો છે રાજયોગ - Gujarat Beat

ઘરમાં આ જાનવર દેખાય તો ગભરાવું નહીં, સમજો જલ્દી મળવાનો છે રાજયોગ

દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેનું સપનાનું ઘર હોય. આ ઘર બનાવ્યા પછી કે ખરીદ્યા પછી, તે તેને સરસ રીતે શણગારે છે. જ્યારે જંતુઓ અથવા કોઈપણ પ્રાણી ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે પેસ્ટ કંટ્રોલવાળા લોકોને પણ બોલાવવામાં આવે છે. જો કે કેટલાક પ્રાણીઓ અથવા જંતુઓને શુભ પણ માનવામાં આવે છે. જ્યોતિષીય પુસ્તક મુહૂર્ત માર્તંડમાં તે વિશેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.

આવું જ એક પ્રાણી ગરોળી પણ છે. મોટા ભાગના લોકોના ઘરોમાં ગરોળી સામાન્ય રીતે દિવાલો અથવા છત પર ફરતી જોવા મળતી હોય છે. ક્યારેક તે માનવ શરીર પર પણ પડતી હોય છે. આ લોકોને ડરાવે છે. જો કે શરીરના અમુક ભાગો પર ગરોળી પડે તો તેને શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ.

મુહૂર્ત માર્તંડ મુજબ જો ગરોળી સ્ત્રી કે પુરૂષના શરીરની જમણી બાજુ પડીને તે ડાબી બાજુથી નીચે ઉતરે તો તેને દોષ નથી માનવામાં આવતો. જો માથા પર ગરોળી પડી જાય તો તમને રાજયોગ પ્રાપ્ત થઇ શકે છે અને તમે સત્તા મેળવી શકો છો અથવા તમે જ્યાં કામ કરો છો ત્યાં પ્રમોશન મેળવીને ઓફિસર પદ સુધી પહોંચી શકો છો. જો જમણા કાન પર ગરોળી પડે તો દાગીના મળવાની શક્યતાઓ ઘણી વધી જાય છે.

લલાટ: વાળના છેલ્લા ભાગમાં ગરોળી પડવાથી વ્યક્તિને મૃત્યુ જેવી પીડા પ્રાપ્ત થાય છે. ચહેરાના આગળના ભાગ પર ગરોળી પડવી શુભ હોય છે અને તે સ્થાન લાભદાયક હોય છે. તમે કોઈપણ જમીન કે મકાન ફ્લેટ વગેરે લઈ શકો છો. માથાના વાળ બાંધવા માટે બનાવેલી લટોની પટ્ટી પર પડવાથી કોઈને કોઈ રોગ થવાની શક્યતાઓ બની જાય છે.

કપાળ: સ્ત્રી અને પુરુષ બંનેના પેટ, નાભિ, છાતી અને દાઢી સિવાય જો ગરોળી તેના કપાળ સુધીના કોઈપણ ભાગ પર પડે તો તે બંને માટે શુભ હોય છે. પુરુષોના બીજા જમણા ભાગ અને સ્ત્રીના ડાબા ભાગ પર ગરોળીનું પડવું સામાન્ય રીતે શુભ માનવામાં આવે છે પરંતુ બીજી તરફ પુરુષોના ડાબા ભાગ અને સ્ત્રીઓના જમણા ભાગ પર ગરોળી પડવાનું પરિણામ અશુભ માનવામાં આવે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)