Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
તુલસીને જળ ચડાવતી વખતે કરો આ નાનકડું કામ, જીવનભર માટે મળશે માં લક્ષ્મીનો સાથ - Gujarat Beat

તુલસીને જળ ચડાવતી વખતે કરો આ નાનકડું કામ, જીવનભર માટે મળશે માં લક્ષ્મીનો સાથ

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તુલસીના છોડમાં માં લક્ષ્મીનો વાસ છે. તેવી સ્થિતિમાં જો તુલસીની નિયમિત પૂજા કરવામાં આવે અને જળ ચઢાવવામાં આવે તો માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં નિવાસ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નિયમિત રીતે સવારે તુલસીના છોડને જળ ચઢાવવાથી અને સાંજે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો નિવાસ રહે છે.

વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસીના છોડનું વિશેષ મહત્વ વર્ણવવામાં આવ્યું છે. તમને લગભગ તમામ ઘરોમાં તુલસીનો છોડ જોવા મળશે પરંતુ વાસ્તુ નિષ્ણાતોનું કહેવું છે કે જો તુલસીના છોડને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તે વધુ શુભ અને ફળદાયી બને છે.

કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે, ત્યાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેનો નિવાસ રહેતો હોય છે અને ખરાબ શક્તિઓ અને નકારાત્મકતા ઘરમાં નથી પ્રવેશતી. જાણો તુલસી પૂજાના કેટલાક ખાસ નિયમો વિશે.

આ છે તુલસી પૂજાના ખાસ નિયમોઃ વાસ્તુ નિષ્ણાતોએ તુલસી પૂજાના કેટલાક ખાસ નિયમો જણાવ્યા છે. કહેવાય છે કે જો આ નિયમોનું પાલન કરીને તુલસીજીની પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. સવારે સ્નાન કર્યા પછી જ તુલસીના છોડને જળ ચઢાવો.

આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે તુલસીને જળ ચઢાવતા પહેલા કંઈપણ ના ખાવું જોઈએ અને જો શક્ય હોય તો તુલસીને જળ અર્પણ કરતી વખતે એવું કપડું પહેરો કે જેમાં કોઈ સિલાઈ ના કરવામાં આવી હોય.

આ મંત્રનો જાપ કરોઃ જ્યોતિષ અનુસાર તુલસીના છોડને માત્ર પાણી આપવું પૂરતું નથી. તેના બદલે જો તુલસીને જળ અર્પણ કરતી વખતે મંત્રનો જાપ કરવામાં આવે તો દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મંત્રનો જાપ ૧૧ કે ૨૧ વાર કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસી મંત્ર – ‘ॐ सुभद्राय नम:’.

તુલસીને જળ અર્પણ કરવાના નિયમોઃ જ્યોતિષમાં તુલસીના છોડને જળ અર્પણ કરવા અંગે ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે રવિવારે ક્યારેય તુલસી ના ચડાવવા જોઈએ. આ સાથે આ દિવસે તુલસીના પાન પણ ન કાઢવા જોઈએ. શાસ્ત્રોમાં લખ્યું છે કે આ દિવસે તુલસી માતા આરામ કરે છે. તેથી જ તેમને પાણી ના ચઢાવો અને પાંદડા ના તોડશો.

આ સાથે એ પણ ધ્યાનમાં રાખો કે તુલસીમાં ક્યારેય વધારે પાણી ના નાખો. તેની સાથે હંમેશા સૂર્યોદય પહેલા તુલસી માતાનું જળ ચઢાવો. એકાદશીના દિવસે પણ પાણી ન ચઢાવો. એવું માનવામાં આવે છે કે આ દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જળા ઉપવાસ કરે છે. એટલા માટે ભૂલથી પણ એકાદશીના દિવસે પાણી ના ચઢાવો.