Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
અમીર બનાવનારા છોડ, ઘરમાં વાવતા જ ખત્મ થઇ જાય છે વાસ્તુ દોષ, નથી ટકતી ગરીબી! - Gujarat Beat

અમીર બનાવનારા છોડ, ઘરમાં વાવતા જ ખત્મ થઇ જાય છે વાસ્તુ દોષ, નથી ટકતી ગરીબી!

જો ઘરમાં વાસ્તુ દોષ હોય અને આર્થિક સંકટ હોય તો જીવન ખૂબ જ મુશ્કેલીમાં પસાર થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં એવા પાવરફુલ છોડ વિશે જણાવવામાં આવ્યું છે જે ધનને આકર્ષે છે અને ઘરમાં ગરીબી ટકવા નથી દેતા. વાસ્તુ શાસ્ત્રમાં તેવી ઘણી પદ્ધતિઓ અને ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે તમને ખુશ અને સમૃદ્ધ બનાવે છે.

આ ઉપાયોમાં ઘરમાં કેટલાક ખાસ છોડ વાવવાનો પણ સમાવેશ થાય છે, જે ઘરના વાસ્તુ દોષોને દૂર કરે છે અને ધન પણ આકર્ષિત કરે છે. આ છોડ ઘરમાં લગાવવાથી ધન-સંપત્તિમાં વધારો થાય છે. ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતા વધે છે.

ક્રેસુલા: સિક્કા જેવા નાના અને જાડા લીલા પાંદડાવાળા ક્રેસુલા છોડમાં ચુંબકની જેમ સંપત્તિને આકર્ષવાની શક્તિ હોય છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ક્રેસુલાનો છોડ લગાવવામાં આવે છે ત્યાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી. ક્રેસુલાને જેડ પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

તુલસીનો છોડ: મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ હોય છે, જેની દરરોજ પૂજા પણ કરવામાં આવે છે. તુલસીના ઘણા ઔષધીય ફાયદા પણ છે. હિન્દુ ધર્મમાં, તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનો છોડ રાખીને તેની પૂજા કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેવું ઘર હંમેશા ધન અને સમૃદ્ધિથી ભરેલું રહે છે.

વાંસનો છોડ: વાંસના છોડને એટલે કે બામ્બુ પ્લાન્ટને ફક્ત વાસ્તુમાં જ નહીં પરંતુ ફેંગશુઈમાં પણ ખૂબ જ શુભ અને સંપત્તિ આકર્ષિત કરતો છોડ માનવામાં આવે છે. ઘરમાં વાંસનો છોડ લગાવવાથી ઝડપી પ્રગતિ થાય છે, ધન અને સમૃદ્ધિમાં વધારો થાય છે. વાંસનો છોડ લિવિંગ રૂમમાં અથવા ઘરની પૂર્વ દિશામાં રાખવો શુભ રહે છે.

સફેદ અપરાજિતા છોડ: અપરાજિતાના ફૂલો ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય હોય છે. સફેદ અપરાજિતા ખાસ કરીને માં લક્ષ્મીને પ્રિય હોય છે. ઘરમાં સફેદ અપરાજિતાનો છોડ લગાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ, સૌભાગ્ય, ધન અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. અપરાજિતાને ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે. અપરાજિતાને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર અથવા ઉત્તર દિશામાં રાખવી શુભ રહે છે.

(ડિસ્ક્લેમર – પ્રિય વાચક, આ સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. અમે આ લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)