જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહની બદલાતી ચાલ તમામ રાશિના લોકો પર અસર કરે છે. તે કેટલાક રાશિના લોકો માટે શુભ અને કેટલાક માટે અશુભ હોય છે. જૂન મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કેટલાક ગ્રહોએ તેમની ચાલ બદલી છે અને કેટલાક તેમની રાશિ બદલવાના છે.
મિથુન રાશિમાં રચાયો લક્ષ્મી નારાયણ યોગઃ જ્યોતિષીય ગણતરી મુજબ, શુક્ર ગ્રહે ૧૨ જૂને સાંજે ૦૬:૫૫ કલાકે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો હતો. તો બીજીતરફ ૧૪ જૂને એટલે કે શુક્રવારે રાત્રે ૧૦:૫૫ કલાકે ગ્રહોના રાજકુમાર બુધનો પણ મિથુન રાશિમાં પ્રવેશ થયો છે. આ બંને ગ્રહોની યુતિથી આ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ રચાયો છે. આ યોગ ત્રણ રાશિ માટે ખૂબ જ શુભ સાબિત થશે. ચાલો જાણીએ આ ત્રણ રાશિ વિશે.
મિથુન રાશિઃ બુધ અને શુક્રની યુતિથી બનેલો લક્ષ્મી નારાયણ યોગ મિથુન રાશિના લોકો માટે ખૂબ જ શુભ છે. આવકના નવા સ્ત્રોત બની શકે છે જેનાથી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. રોકાણ માટે પણ સમય સાનુકૂળ છે, ભવિષ્યમાં તમને સારા પરિણામ મળી શકે છે. પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે. તમે તમારા પરિવાર સાથે પ્રવાસ પર પણ જઈ શકો છો.
સિંહ: મિથુન રાશિમાં બનેલો લક્ષ્મી નારાયણ યોગ સિંહ રાશિના લોકો માટે સારા સમાચાર લાવશે. નોકરી સંબંધિત સમસ્યાઓનો અંત આવી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ રાશિના વ્યાપારીઓ પણ સારી ડીલ મેળવી શકે છે જેના કારણે મોટો નફો પણ થઈ શકે છે. વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થશે અને સંબંધોમાં મધુરતા આવશે.
કન્યા: મિથુન રાશિમાં બુધ અને શુક્રની યુતિ કન્યા રાશિના લોકોને બેવડો લાભ આપી શકે છે. તમારું અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે અને તમને સફળતા મળશે. નોકરીયાત લોકો માટે અટકેલી પ્રમોશન થઈ શકે છે અને પગારમાં પણ વધારો થઈ શકે છે. જો તમે માનસિક તણાવનો સામનો કરી રહ્યા છો તો તે પણ દૂર થશે અને તમારું મન પ્રસન્ન રહેશે.