Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
ધાણાના આ અચૂક ઉપાયોથી થશે દરેક તકલીફોનું સમાધાન, થઇ જશો માલામાલ - Gujarat Beat

ધાણાના આ અચૂક ઉપાયોથી થશે દરેક તકલીફોનું સમાધાન, થઇ જશો માલામાલ

કોથમીરનો ઉપયોગ રસોડામાં મસાલા તરીકે કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે કોથમીરના ઘણા અચૂક ઉપાયો છે જે આપણી ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારો પરિવાર સમૃદ્ધ નથી અથવા તમે કોઈને કોઈ રીતે પૈસાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ ઉપાયોથી દૂર થઈ શકે છે.

ઘરમાં આવશે ખુશીઓ: જો તમારા ઘરમાં હંમેશા તણાવનું વાતાવરણ રહેતું હોય તો તમારે ઘરની પૂર્વ દિશામાં સફેદ કપડામાં કોથમીર બાંધવી જોઈએ. તેનાથી તમારા પરિવારમાં શાંતિ જળવાઈ રહે છે. જો તમારા ઘરની આર્થિક સ્થિતિ નાથી સારી અથવા ઘરમાં પૈસા નથી ટકતા તો તમે બુધવારે ગાયને લીલી કોથમીર ખવડાવો. તેમ કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. સાથે જ તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં થાય.

જો તમને વારંવાર માંગતા છતાં પણ તમારા ફસાયેલા પૈસા પાછા નથી મળી રહ્યા તો તમારે તે વ્યક્તિનું નામ શુક્રવારે સફેદ કાગળ પર લખવું જોઈએ અને તે કાગળને સૂકી કોથમીરથી બાંધીને વહેતી નદીમાં પ્રવાહિત કરી દો.

જો તમે હંમેશા કોઈને કોઈ પરેશાનીઓથી ઘેરાયેલા રહો છો તો સુકી કોથમીર લાલ કપડામાં બાંધીને મંગળવારે હનુમાનજીને અર્પણ કરો અને હનુમાન ચાલીસાનો પાઠ પણ કરો. તેનાથી તમને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો કોઈપણ મહિનાના શુક્લ પક્ષે માટીના વાસણમાં સુકી કોથમીર રાખો. સાથે જ તમે કેટલાક સિક્કા લગાવીને ઉત્તર દિશામાં રાખો. જ્યારે કોથમીર વાસમાંથી નીકળી જાય ત્યારે સિક્કા કાઢી લો અને તમારી તિજોરીમાં અથવા જ્યાં તમે તમારા પૈસા રાખો છો ત્યાં રાખો. તેમ કરવાથી તમારા ઘરમાં ધનનો વરસાદ થશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)