Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
દિવાળીની રાત્રે કરી લો આ ચમત્કારિક કામ, જીવનભર નહીં અટકે પૈસાની આવક, રાતોરાત બનશો ધનવાન - Gujarat Beat

દિવાળીની રાત્રે કરી લો આ ચમત્કારિક કામ, જીવનભર નહીં અટકે પૈસાની આવક, રાતોરાત બનશો ધનવાન

દિવાળીનો તહેવાર દર વર્ષે આસો માસની અમાવાસ્યાએ ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર ૨૪ ઓક્ટોબર, સોમવારના રોજ આવી રહ્યો છે. આ દિવસે દરેક વ્યક્તિ દેવી લક્ષ્મીની પૂજા કરે છે. દિવાળીની રાત્રિને કાલરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તંત્ર શાસ્ત્ર અનુસાર દિવાળીની રાત્રે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનની ઘણી સમસ્યાઓનો અંત આવે છે. ઘણા લોકો આ દિવસે તંત્ર-મંત્ર અને ઉપાયો કરે છે. આજે આપણે આ ઉપાયો વિશે જાણીશું.

દિવાળીની રાત્રે કરો આ ખાસ ઉપાયઃ ૧. દિવાળીની રાત્રે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમની પાસે હળદરનો એક ગાંઠિયો રાખો. જ્યારે પૂજા પૂરી થઈ જાય ત્યારે આ હળદરના ગાંઠીયાને લાલ કપડામાં બાંધીને તિજોરી કે અલમારીમાં રાખો. તેને એવી જગ્યાએ રાખો જ્યાંથી તેને કોઈ જોઈ ના શકે. તેનાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે.

૨. દિવાળીની અડધી રાત્રે એટલે કે ૧૨ વાગે સ્નાન કરો. પછી લાલ વસ્ત્રો પહેરો. હવે માં લક્ષ્મીની સામે શ્રીસૂક્તનો પાઠ કરો. જણાવી દઈએ કે દેવરાજ ઈન્દ્રએ પણ લક્ષ્મીજીને શ્રી સૂક્તથી પ્રસન્ન કર્યા હતા. તેનાથી તમારી પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે.

૩. લક્ષ્મી પૂજા દરમિયાન થાળીની નીચે થોડા ચોખા મૂકો. પછી પૂજા પૂરી થતાં જ આ ચોખાના દાણા તમારા પર્સમાં રાખો. તેનાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં થાય અને પૈસાની આવક થતી રહેશે.

૪. દિવાળીની રાત્રે ગાયનું કાચું દૂધ લો અને તેમાં થોડું કેસર નાખો. હવે તેનાથી દેવી લક્ષ્મી અને વિષ્ણુનો અભિષેક કરો. આ દરમિયાન, તમારી કોઈપણ ઇચ્છા બોલો. તે ટૂંક સમયમાં પૂર્ણ થશે.

5. કુરી અને ગોમતી ચક્રને લક્ષ્મી પૂજામાં ચોક્કસથી સામેલ કરવા જોઈએ. પૂજા કર્યા પછી, તેમને તે સ્થાન પર રાખવા જોઈએ જ્યાં તમે તમારા પૈસા અને સંપત્તિ સંબંધિત દસ્તાવેજો રાખો છો. તેનાથી તમારી ધન- સંપત્તિમાં વધારો થાય છે.

૬. દિવાળીની રાત્રે પીપળાના ઝાડ પાસે જાઓ. અહીં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. હવે માં લક્ષ્મીને તમારા ઘરે પધારવા વિનંતી કરો. તેમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

૭. દિવાળીના દિવસે રાત્રે ૧૨ વાગે નવા અને સ્વચ્છ વસ્ત્રો પહેરો અને તમારી રાશિ પ્રમાણે માં લક્ષ્મીના મંત્રોનો જાપ કરો. આ જાપ તમારે સ્ફટિકની માળાથી કરવાનો છે. તેનાથી તમારા બધા દુ:ખ ખતમ થઈ જશે.

8. ઘરમાં ધન અને અન્નની બરકત જાળવી રાખવા માટે કુમકુમ સાથે એક નારિયેળ પર સ્વસ્તિક બનાવો. હવે દિવાળીની રાત્રે માતા લક્ષ્મી સાથે તેની પૂજા કરો. પછી તેને લાલ કપડામાં લપેટીને રસોડામાં મૂકી દો.

૯. દિવાળીની રાત્રે વિધિ- વિધાન અનુસાર શ્રી યંત્રની પૂજા કરવાથી લાભ થાય છે. તેને તમારા પૂજા સ્થાન પર સ્થાપિત કર્યા પછી, દરરોજ તેની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. તેનાથી પૈસા કમાવવાની તકો મળશે.

૧૦. જો તમે ધનના દેવતા કુબેરદેવની કૃપા ઈચ્છતા હોવ તો દિવાળીની રાત્રે બિલીપત્રના ઝાડ નીચે દીવો પ્રગટાવો. તેનાથી તમને ક્યારેય પૈસા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. માન્યતાઓ અનુસાર કુબેરદેવ બિલીપત્રના વૃક્ષના મૂળમાં નિવાસ કરે છે.