Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
દિવાળી પર રાહુ- મંગળ સાથે આવતા નવપંચમ રાજયોગ, ત્રણ રાશિ પર વરસશે અઢળક પૈસો - Gujarat Beat

દિવાળી પર રાહુ- મંગળ સાથે આવતા નવપંચમ રાજયોગ, ત્રણ રાશિ પર વરસશે અઢળક પૈસો

જ્યોતિષમાં રાહુને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો રાહુ કુંડળીમાં યોગ્ય સ્થાનમાં હોય તો તે કોઈ રંકને પણ રાજા બનાવી શકે છે. તો જ્યારે તે ખરાબ સ્થિતિમાં હોય છે, ત્યારે તે રાજાને રંકમાં ફેરવવામાં વિલંબ નથી કરતા. આ વખતે દિવાળી પહેલા રાહુ અને મંગળ એક જ રાશિમાં ગોચર કરી રહ્યા છે.

બંનેના મિલનથી આ મહાપર્વ તમામ ૧૨ રાશિ માટે ખુશીઓથી ભરેલો રહેવાનો છે. જો કે, એવી ત્રણ રાશિ છે જેમના માટે આ દિવાળી ખૂબ જ ખાસ રહેશે અને તહેવાર પહેલા તેમને અણધાર્યા લાભ મળવાનો સુખદ સંયોગ બની રહ્યો છે.

જ્યોતિષના મતે મંગળ ૨૦ ઓક્ટોબરે કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે. રાહુ ગ્રહ મીન રાશિમાં હાજર છે. બંનેની આ સ્થિતિને કારણે નવપંચમ રાજ યોગ બની રહ્યો છે. આ એક ખૂબ જ શુભ યોગ માનવામાં આવે છે, જેની અસર તમામ ૧૨ રાશિ પર પડે છે. પરંતુ એવી ત્રણ રાશિ છે જેમના માટે રાહુ અને મંગળની આ મિલન ભાગ્ય બદલી નાખનારી છે. આવો જાણીએ તે કઈ કઈ રાશિઓ છે. રાહુ- મંગળ ગોચરથી લાભાન્વિત થનારી રાશિઓ.

મિથુનઃ આ નવપંચમ રાજયોગ આ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. આ ગોચર તેમના જીવનમાં ઘણી ખુશીઓ લઈને આવશે. તેમની મહેનત ફળ આપશે અને તેમની કારકિર્દીમાં પ્રગતિની શક્યતાઓ વધશે. અટકેલા પૈસા પણ પરત મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે.

કન્યાઃ રાહુ ગ્રહ યોગ્ય સ્થિતિમાં સક્રિય હોવાને કારણે દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે. તમે તમારા વિરોધીઓને હરાવવામાં સફળ રહેશો. સમાજમાં તમારું માન- સન્માન વધશે. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. તમારા ઘરે નવું વાહન આવી શકે છે અથવા તમે નવી મિલકત ખરીદી શકો છો.

વૃષભ: રાહુ અને મંગળની યુતિને કારણે તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારોની અપેક્ષા છે. તમારા વ્યવસાયમાં વૃદ્ધિની શક્યતાઓ રહેલી છે. તમે અગાઉ કરેલા કોઈપણ રોકાણ કરતાં વધુ સારું વળતર મેળવી શકો છો. તમને તમારા પરિવારના કોઈ સભ્ય તરફથી લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. તમે તમારા પરિવાર સાથે તીર્થયાત્રા પર જઈ શકો છો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)