Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
ખાવાનું ખાતી વખતે જો નજર આવી જાય આ વસ્તુઓ, તો થઇ જાવ સતર્ક - Gujarat Beat

ખાવાનું ખાતી વખતે જો નજર આવી જાય આ વસ્તુઓ, તો થઇ જાવ સતર્ક

જીવનમાં ઘણી એવી ઘટનાઓ બને છે જેને આપણે અવગણીએ છીએ. એવી કેટલીક ઘટનાઓ છે જે ભવિષ્યમાં થનારી ઘટનાઓનો પૂર્વ સંકેત આપે છે પરંતુ તેમ છતાં આપણે તે તરફ ધ્યાન નથી આપતા. જેના કારણે આપણા સારી રીતે ચાલતા કામો પણ અટકી જતા હોય છે. કેટલીક ઘટનાઓ શુકન અને અપ- શુકન સાથે સંબંધિત હોય છે.

કેટલાક લોકો ભોજન દરમિયાન તેવું જ કરતા હોય છે. આપણા બધાને ખોરાકમાં અમુક સમયે વાળ આવી જતા હોય છે. હકીકતમાં તે ખોરાક ખાવો કોઈ પણ રીતે ફાયદાકારક નથી હોતો. જો આપણે વૈજ્ઞાનિક રીતે પણ જોઈએ તો, આપણે આપણા વાળ માટે તેલ, શેમ્પૂ, કન્ડિશનર, રંગ, જેલ વગેરે જેવા ઘણા ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ. આ ઉત્પાદનો સિવાય, આપણા વાળ હવામાં હાજર ધૂળ અને અન્ય હાનિકારક કણોના સંપર્કમાં પણ આવે છે.

આ ઉત્પાદનો અને પ્રદૂષિત પદાર્થો આપણા ખોરાકને દૂષિત કરી શકે છે. જો કે, જો તમે ભૂલથી તમારા ખોરાક સાથે આમાંથી એક વાળ ગળી લો તો તે તમારા માટે વધુ નુકસાનકારક થઇ શકે છે, કારણ કે તે તમારા સ્વાસ્થ્ય માટે સ્પષ્ટપણે હાનિકારક હોઈ શકે છે. જો આપણે તેને વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના દૃષ્ટિકોણથી જોઈએ તો યરવું માનવામાં આવે છે કે ખોરાકમાં વાળ દુર્ભાગ્યની નિશાની હોય છે અને કેટલાક લોકો મજબૂતપણે માને છે કે તે નકારાત્મક ઉર્જા દર્શાવે છે.

જો જમતી વખતે વાળ જોવા મળે તો તે અપશુકન હોય છે. તે ધન હાનિ, કોઈ સંકટનું આવવું, નુકસાન થવાનો સંકેત હોય છે. જો ખોરાકમાં વારંવાર વાળ બહાર આવે છે, તો તે બગડેલા રાહુનો પણ સંકેત હોય છે. તે જણાવે છે કે જાતક પર રાહુની રાશિ પર બુરી અસર છે.

તે વાતનું ધ્યાન રાખો કે જો ખોરાકમાં વાળ નીકળે છે તો તે ખોરાક ના ખાવો, ગાય અથવા કોઈપણ પ્રાણીને ખવડાવી દો. જો ખોરાકમાં વારંવાર વાળ નીકળે છે તો તે પિતૃ દોષનો સંકેત પણ હોઈ શકે છે. તેવામાં જો પિતૃ પક્ષ દરમિયાન આવું થાય છે તો તે સૂચવે છે કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે. તેવી સ્થિતિમાં જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

જો તમે આકસ્મિક રીતે ભોજન પર પગ લાગી જાય, તો તેને ખાવું નહીં પરંતુ પ્રાણીને ખવડાવી દો. નહીંતર તેવો ખોરાક ખાવાથી ગરીબી આવે છે. દીસ્લેમ્ર: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત બીટ .કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીની પુષ્ટિ નથી કરતું. કોઈપણ માન્યતા અથવા જાણકારીને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.