Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
ઘરમાં આ રીતે ક્યારેય ના રાખો જૂતા- ચપ્પલ, શનિદેવ કરી દે છે આખું જીવન બરબાદ - Gujarat Beat

ઘરમાં આ રીતે ક્યારેય ના રાખો જૂતા- ચપ્પલ, શનિદેવ કરી દે છે આખું જીવન બરબાદ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની તમામ વસ્તુઓને ચોક્કસ અને યોગ્ય દિશામાં રાખવી શુભ હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં જૂતા અને ચપ્પલ રાખવા માટે પણ દિશા નિર્ધારિત કરવામાં આવી છે. સામાન્ય રીતે લોકો ઉંબરા પર પગરખાં અને ચપ્પલ ઉતારતા હોય છે. જ્યારે કેટલાક લોકો જૂતા અને ચપ્પલ લઈને ઘરની અંદર ચાલ્યા આવતા હોય છે.

વાસ્તુ શાસ્ત્રની દૃષ્ટિએ આ બંને સ્થિતિઓ ખોટી છે. આવી સ્થિતિમાં જાણી લો ફૂટવેર સંબંધિત વાસ્તુ ટિપ્સ. શૂઝ અને ચપ્પલ સંબંધિત વાસ્તુ ટિપ્સઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં જૂતા- ચપ્પલ વેરવિખેર હોય છે ત્યાં શનિનો અશુભ પ્રભાવ રહે છે. ખરેખર શનિનો સંબંધ પગ સાથે પણ હોય છે.

આવી સ્થિતિમાં પગથી સંબંધિત વસ્તુઓને યોગ્ય જગ્યાએ રાખવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની બહાર અવ્યવસ્થિત રીતે જૂતા- ચપ્પલને ઘરની બહાર અસ્તવ્યસ્ત રીતે રાખવાથી નકારાત્મક ઉર્જા સક્રિય થાય છે. તેવામાં તેમને હંમેશા કોઈને કોઈ ખૂણામાં વ્યવસ્થિત રીતે રાખવા જોઈએ.

વારંવાર ઉપયોગમાં લેવાતા જૂતા અને ચપ્પલને વ્યવસ્થિત રીતે પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. જૂના જૂતા- ચંપલ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે. આ સિવાય માનસિક અને આર્થિક સમસ્યાઓ ઘર છોડવાનું નામ નથી લેતી.

જૂતા- ચપ્પલની રેકને ક્યારેય પૂજા ઘર અથવા રસોડાની દિવાલને અડાડીને ના રાખવી જોઈએ. સાથે જ ઘરની પૂર્વ દિશા, ઉત્તર દિશા કે અગ્નિ ખૂણા અને ઇશાન ખુણામાં જૂતા- ચપ્પલની રેક કે બોક્સ ના બનાવવું જોઈએ. તેના માટે ઉત્તર- પશ્ચિમ કે દક્ષિણ- પશ્ચિમની દિશાને ઉત્તમ માનવામાં આવી છે.

જો ઘરમાં જૂતા- ચપ્પલ વેરવિખેર પડેલા હોય તો ઘરના સભ્યો વચ્ચેના સંબંધો ખરાબ થવા લાગે છે. બીજી તરફ પગરખાં અને ચપ્પલને પથારીની નીચે રાખવાથી સ્વાસ્થ્ય પર અસર થાય છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)