Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
ઘરમાં રાખેલી સાવરણી બદલી શકે છે તમારું કિસ્મત, બસ જાણી લો આ જરૂરી વાતો - Gujarat Beat

ઘરમાં રાખેલી સાવરણી બદલી શકે છે તમારું કિસ્મત, બસ જાણી લો આ જરૂરી વાતો

સાવરણીનો ઉપયોગ ઘરની સફાઈ માટે કરવામાં આવતો હોય છે પરંતુ શું તમે જાણો છો કે તે ઘરમાં સુખ- સમૃદ્ધિ પણ લાવી શકે છે. વાસ્તુમાં સાવરણી સાથે જોડાયેલા કેટલાક નિયમો છે, જેને અનુસરીને આપણે ઘરનું ભાગ્ય બદલી શકીએ છીએ. અમે તમને જણાવીશું કે તમારે તમારા ઘરમાં સાવરણી કઈ દિશામાં રાખવી જોઈએ અને સાવરણી સાથે જોડાયેલી ટિપ્સ કઈ છે.

હિંદુ માન્યતાઓ અનુસાર સાવરણી ક્યારેય ઉભી ના રાખવી જોઈએ. ઉભી સાવરણી ઘરમાં ગરીબી લાવે છે. સાવરણી નીચે મુકેલી રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાવરણી કઈ દિશામાં રાખવામાં આવી રહી છે તે પણ મહત્વનું છે. સાવરણી પશ્ચિમ અથવા ઉત્તર- પશ્ચિમ તરફ રાખવાનો પ્રયાસ કરવો.

વાસ્તુ અનુસાર સાવરણી ક્યારેય ઈશાન દિશામાં અને રસોડામાં ના રાખવી જોઈએ. તેને ટેરેસ પર કે ઘરની બહાર પણ ના રાખવી જોઈએ. તેમ કરવાથી ચોરી અને ઘટનાઓનું જોખમ વધી શકે છે.

જો તમારા ઘરની સાવરણી જૂની થઈ ગઈ છે અને તમે તેને જાતે જ કાઢવા માંગો છો તો તેને હંમેશા શનિવારે, અમાવાસ્યાના દિવસે, હોલિકા દહન પછી અથવા ગ્રહણ પછી કાઢી નાખવી જોઈએ. એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમે જ્યાંથી સાવરણી કાઢો છો, ત્યાં કોઈના પગ સાવરણી પર ના પડવા જોઈએ.

વાસ્તુ અનુસાર, તમે જ્યાં રસોઈ બનાવી રહ્યા છો અથવા જમતા હોવ ત્યાં સાવરણી ના રાખવી જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં અનાજની અછત થઈ શકે છે. તેના કારણે પરિવારના સભ્યનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે.

સૂર્યાસ્ત પછી કચરો વાળવાથી પણ ધનનું નુકસાન થાય છે. સાવરણીને પગ વડે સ્પર્શ કરવાનું ટાળો કારણ કે વાસ્તુ અનુસાર જાણીજોઈને તેમ કરવાથી દેવી લક્ષ્મીની ભાવનાઓને ઠેસ પહોંચે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)