Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
ઘરમાં આ જીવને જોઇને ડરી જાય છે ઘણા લોકો, પરંતુ હોય છે ખુબજ શુભ! મળે છે અપાર ધન- સંપત્તિ - Gujarat Beat

ઘરમાં આ જીવને જોઇને ડરી જાય છે ઘણા લોકો, પરંતુ હોય છે ખુબજ શુભ! મળે છે અપાર ધન- સંપત્તિ

કેટલાક જીવ એવા હોય છે જેના નામથી જ લોકો ડરી જાય છે જેમકે સાપ. તો કેટલાક જીવોને જોઇને લોકો ડરી જાય છે કે મોઢું બગાડે છે. જ્યારે કે દરેક જીવનું પ્રકૃતિમાં પોતાનું એક અલગ જ મહત્વ છે. બીજી તરફ ધાર્મિક ગ્રંથો, જ્યોતિષ વગેરેમાં કેટલાક જીવોને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

તેમાંની કેટલીક પૂજા પણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, સનાતન ધર્મમાં, માતાનો દરજ્જો ગાય માટે પવિત્ર માનવામાં આવે છે. આ જીવોની પૂજા, સંભાળ, અન્નદાન કરવાથી પુષ્કળ પુણ્ય મળે છે. તેઓ જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ આપે છે.

ઘરમાં આ જીવનું દેખાવું આપે છે ધન અને સમૃદ્ધિ: તેવા જ શુભ જીવોમાં ગરોળીનું નામ પણ સામેલ છે. જો કે મોટાભાગના લોકો ગરોળીના નામથી મોં ચડાવે છે કારણ કે તેઓ કાં તો તેનાથી ડરતા હોય છે અથવા તેનાથી ચીતરી ચડતી હોય ​​છે. જ્યારે કે ધન- સંપત્તિની દ્રષ્ટીએ ગરોળીને શુભ માનવામાં આવે છે.

ત્યાં સુધી કે નવા ઘરની વાસ્તુ પૂજામાં ચાંદીની ગરોળી રાખીને તેની પૂજા કરવામાં આવે છે. ઘરમાં ગરોળીનું હોવું ઘણા ફાયદા આપે છે. તેનાથી ઘરમાં હંમેશા આર્થિક હાલત સારી રહે છે. ઘરના લોકોની વચ્ચે પણ પ્રેમ બનેલો રહેછે.

ગરોળી સાથે સંકળાયેલા શુભ સંકેતો: ઘરના મંદિર એટલે કે પૂજા ઘરની આસપાસ ગરોળીનું દેખાવું ખૂબ જ શુભ હોય છે. જો દિવાળીની રાત્રે ઘરમાં ગરોળી જોવા મળે તો માની લો કે દેવી લક્ષ્મી આખા વર્ષ દરમિયાન તમારા પર અપાર આશીર્વાદ વરસાવવાના છે.

નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે જો ગરોળી દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે તમારા પર પૂર્વજોના આશીર્વાદ હોવાનો ઈશારો હોય છે. ઘરમાં એક જ જગ્યાએ ત્રણ ગરોળીનું દેખાવું પણ શુભ માનવામાં આવે છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)