Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
માં અંબાના આ મંદિરે દર્શન કરવા આવે છે વાઘ! નવરાત્રિમાં થાય છે ચમત્કાર.. જાણો - Gujarat Beat

માં અંબાના આ મંદિરે દર્શન કરવા આવે છે વાઘ! નવરાત્રિમાં થાય છે ચમત્કાર.. જાણો

માતાજીના ભક્તો નવરાત્રિ દરમિયાન દરરોજ મંદિરમાં મા અંબેના દર્શન કરવા અને પૂજા કરવા જાય છે. બીજી તરફ દેશના મુખ્ય દેવી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી જતી હોય છે, પછી તે વૈષ્ણો દેવી મંદિર હોય કે મનસા દેવી મંદિર કે અંબાજી માતાનું મંદિર. ઘણા પ્રાચીન મંદિરોમાં ભક્તો દૂર- દૂરથી પહોંચે છે, જે તેમના ચમત્કારો અને મનોકામનાઓની પૂર્તિ માટે પ્રખ્યાત છે.

આવું જ એક મંદિર મધ્યપ્રદેશના પંચમઢી હિલ સ્ટેશનમાં આવેલું છે. પંચમઢીમાં ૧૭૫ વર્ષ જૂનું અંબા માતાનું મંદિર છે, જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો પોતાની ઈચ્છા સાથે પહોંચે છે.

માં બગલામુખી ઉંધા સિંહ પર બિરાજમાન છે: પંચમઢીના આ પ્રાચીન અંબા માતાજીના મંદિરમાં ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભક્તોની ભારે ભીડ જામતી હોય છે. અહીં નવ દિવસ સુધી વિશેષ ધાર્મિક વિધિઓ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને લોકો સંતાન સુખ મેળવવાની ઈચ્છા સાથે દૂર- દૂરથી ત્યાં આવે છે.

આ મંદિરમાં માતાજી ઉંધા સિંહ પર બિરાજમાન છે અને તેના કારણે તાંત્રિકોની આસ્થા આ મંદિર માટે ઘણી વિશેષ છે. આ મંદિરમાં મોટી સંખ્યામાં તાંત્રિકો આવે છે અને પ્રાર્થના કરે છે.

વાઘ આવે છે માતાજીના દર્શન કરવા: તેનાથી પણ વધુ ચમત્કારિક હકીકત એ છે કે પંચમઢીના આ મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે વાઘ આવે છે. દર વર્ષે નવરાત્રિમાં ઓછામાં ઓછા એક વખત વાઘ આ મંદિરમાં ચોક્કસ આવે છે અને માતાજીના દર્શન કરે છે.

નવરાત્રી દરમિયાન માતાના દર્શન કરવા આવેલા વાઘને સેંકડો લોકોએ જોયા છે. અદ્ભુત વાત એ છે કે આ ખતરનાક જંગલી જીવ કોઈને નુકસાન નથી પહોંચાડતા અને માતાજીના દર્શન કરીને જતા રહે છે.

સંતાન સુખનું વરદાન મળે છેઃ અંબા માં ના આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં સંતાન પ્રાપ્તિની ઈચ્છા અવશ્ય પૂરી થાય છે. નિઃસંતાન યુગલો અહીંથી ક્યારેય નિરાશ થઈને પાછા નથી આવતા. બીજી તરફ જ્યારે મનોકામના પૂર્ણ થાય છે, ત્યારે લોકો ફરીથી અહીં પ્રસાદ ચઢાવવા અને માતાજીના આશીર્વાદ લેવા આવે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)