Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
આ છોડને કહેવામાં આવે છે 'પૈસાનું ચુંબક', મની પ્લાન્ટ કરતા ક્યાંય વધારે બતાવે છે અસર - Gujarat Beat

આ છોડને કહેવામાં આવે છે ‘પૈસાનું ચુંબક’, મની પ્લાન્ટ કરતા ક્યાંય વધારે બતાવે છે અસર

વાસ્તુ શાસ્ત્ર ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ કરીને સકારાત્મક ઉર્જાનો સંચાર વધારવાનું કામ કરતું હોય છે. વાસ્તુમાં તેવા અનેક છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ઘરમાં લગાવવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ પર અસર પડે છે. ઘણીવાર લોકો મની પ્લાન્ટ લગાવતા જોવા મળતા હોય છે અથવા તમે મની પ્લાન્ટ લગાવવાના નિયમો વિશે વાત કરતા સાંભળ્યા જ હશે પરંતુ વાસ્તુ અનુસાર ક્રાસુલા છોડ મની પ્લાન્ટ કરતાં પણ વધુ અસર દર્શાવે છે.

આવો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્રસુલાના ફાયદા અને સાચી દિશા વિશે. વાસ્તુ અનુસાર, જાણો ક્રાસુલાનો છોડ ક્યાં મૂકવો- ક્રાસુલાનો છોડ ખૂબ જ શુભ છેઃ વાસ્તુ શાસ્ત્રમાં ક્રાસુલાના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ છોડ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેવું માનવામાં આવે છે કે તેને ઘરમાં લગાવવાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓનો અંત આવે છે.

ઉપરાંત, પૈસાના નવા રસ્તાઓ ખુલે છે. વ્યક્તિના હાથમાં ધન જ ધન રહે છે. વાસ્તુ અનુસાર તેને સંપત્તિના છોડ તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ તેને યોગ્ય દિશામાં રાખવો પણ જરૂરી હોય છે.

ફેંગશુઈમાં પણ કહેવાય છે ફાયદાકારક: ફેંગશુઈમાં પણ ક્રાસુલાના છોડને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી એકતરફ પૈસાનું આકર્ષણ વધે છે. સાથે જ સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે. જો તમારી પાસે ધન છે, પરંતુ તે ટકતું નથી, તો પણ તમે ક્રેસુલા પ્લાન્ટ લગાવી શકો છો. ટૂંક સમયમાં ફાયદો થશે.

આ નામોથી ઓળખાય છે: ક્રેસુલા પ્લાન્ટને અંગ્રેજીમાં મની ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત, તેને ફ્રેન્ડશિપ ટ્રી, લકી પ્લાન્ટ, જેડ પ્લાન્ટ અને મની પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાથે જ તેને કુબેરશી છોડ અને પૈસાનો ચુંબક પણ કહેવામાં આવે છે. તેની વિશેષતા તેના નામ પરથી જ જાણી શકાય છે. આ છોડ દેખાવમાં ખૂબ નાનો હોય છે. પાંદડા નાના અને ફેલાયેલા હોય છે.

ક્રસુલાને આ દિશામાં રાખોઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્રેસુલાના છોડને પ્રવેશદ્વારની જમણી બાજુ રાખો. જ્યાં સૂર્યનો આછો પ્રકાશ તેના પર પડતો હોય. જણાવી દઈએ કે કે આ છોડને વધુ કાળજીની જરૂર નથી હોતી. અઠવાડિયામાં ૨- ૩ વખત પાણી આપો તો તે પણ પૂરતું રહે છે.

ક્રેસુલા પ્લાન્ટના ફાયદા: ક્રસુલાનો છોડ ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે. ક્રેસુલાનો છોડ વ્યક્તિની આર્થિક સમસ્યાઓનો નાશ કરે છે અને ધનનો વરસાદ કરે છે. તે ધનના આગમનના નવા રસ્તાઓ ખોલે છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)