Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
મની પ્લાન્ટના મૂળમાં બાંધી દો આ એક ખાસ વસ્તુ, ઘણી ઝડપથી ખેંચાઈ આવશે પૈસા.. સરળ છે ઉપાય - Gujarat Beat

મની પ્લાન્ટના મૂળમાં બાંધી દો આ એક ખાસ વસ્તુ, ઘણી ઝડપથી ખેંચાઈ આવશે પૈસા.. સરળ છે ઉપાય

વાસ્તુ શાસ્ત્રમાં ઘણી એવી વસ્તુઓ વિશે જણાવ્યું છે જેને ઘરમાં રાખવાથી સકરાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. ઘરના વાસ્તુદોષ દૂર થાય છે. તેને ઘરમાં યોગ્ય દિશા અને જગ્યા પર લગાવવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. તુલસીના છોડની સાથે વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટનું વિશેષ મહત્વ જણાવ્યું છે.

વાસ્તુ જાણકારોનું કહેવું છે કે મની પ્લાન્ટને ઘરમાં લગાવવાથી દેવી લક્ષ્મીજીના આશીર્વાદ જળવાઈ રહે છે. સાથે જ ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે. શુક્રવારના દિવસે મની પ્લાન્ટથી સંબંધિત આ ખાસ ઉપાય કરવાથી ધન સંબંધિત સમસ્યાઓથી જલ્દી છુટકારો મળે છે.

મની પ્લાન્ટમાં બાંધો નારાસળી: વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટને ધન આપનાર છોડ કહેવામાં આવે છે. કહેવાય છે કે જો તેને નિયમાનુસાર લગાવવામાં આવે તો દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી ઘરમાં કયારેય ધનની અછત નથી આવતી.

વાસ્તુ જાણકારોનું માનવું છે કે શુક્રવારના દિવસે મની પ્લાન્ટના મૂળમાં લાલ રંગની નારાછડી બાંધવાથી પૈસા ચુંબકની જેમ ખેંચાઈને આવે છે. તેમ કરતા સમયે દેવી લક્ષ્મીજીનું ધ્યાન કરો અને તેમને સુખ- સમૃદ્ધિ અને ધન- ધાન્યમાં વૃદ્ધિ કરવાની પ્રાર્થના કરો.

મની પ્લાન્ટમાં ચઢાવો દૂધ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે ઘરોમાં મની પ્લાન્ટનો છોડ હોય છે ત્યાં વ્યક્તિને ક્યારેય પણ ધનની અછતનો સામનો નથી કરવો પડતો. મની પ્લાન્ટને નિયમિત પાણી આપવાથી તે લીલો રહે છે અને વાસ્તુ અનુસાર લીલા છોડને ઘરમાં સુખ- સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. પાણીમાં થોડું કાચું દૂધ મિક્સ કરીને આપવાથી તેનો ઝડપથી વિકાસ થાય છે. સાથે જ વ્યક્તિના પ્રગતિનો માર્ગ પણ ઝડપથી ખુલે છે.

ઘરની બહાર ના રાખો મની પ્લાન્ટ: વાસ્તુ જાણકારોનું કહેવું છે કે મની પ્લાન્ટને એવી જગ્યાએ ક્યારેય ના રાખો જ્યાં બહારથી આવતા- જતા લોકોની નજર તેના પર પડે. જો કોઈ તેને ઘરની બહાર રાખે છે તો તેનાથી વ્યક્તિની ખરાબ નજર પડી શકે છે.

એટલા માટે ઘરની અંદર મની પ્લાન્ટને યોગ્ય દિશામાં રાખવો શ્રેષ્ઠ છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)