પોતું કરવામાં આ ભૂલથી ધન- સંપત્તિ, સ્વાસ્થ્ય, શાંતિ બધું જ થઇ જશે બરબાદ.. જાણી જ લો

દિવાળી આવી ગઈ છે, ઘરોમાં સાફ- સફાઈ થઈ રહી છે. આ દરમિયાન ઘરનો કચરો, તૂટેલી વસ્તુઓ, જૂના કપડા વગેરે પણ દૂર કરવામાં આવે છે. ઘરના દરેક ખૂણાને સાફ કરવામાં આવે છે. જેથી ઘરમાં સકારાત્મકતા રહે. ઘર સ્વચ્છ અને સુંદર દેખાવું જોઈએ, જેથી માં લક્ષ્મીની કૃપા રહે. માં લક્ષ્મી ઘરમાં નિવાસ કરે અને તમને સુખ- સમૃદ્ધિ આપે.

પરંતુ ઘણી વખત સફાઈ દરમિયાન લોકો કેટલીક ભૂલો કરે છે જે જીવન પર ભારે પડી શકે છે. જેમ કે સફાઈમાં જૂના કપડાંનો ઉપયોગ કરવો. સાફ- સફાઈ કરવા કે પોતું મારવામાં જુના કપડાનો ઉપયોગ કરવો કેટલો ભારે પડી શકે છે અને તેનું કારણ શું છે.

સફાઈ માટે જૂના કપડાનો ઉપયોગ ના કરો: સફાઈ માટે ક્યારેય જૂના પહેરેલા કપડાનો ઉપયોગ ન કરો. તેવું કરવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. જે ઘરની સુખ- શાંતિને બરબાદ કરે છે. ઘરમાં ઝઘડા અને તકરાર વધે છે. સફાઈ માટે જૂના કપડા વાપરવાથી ગરીબી વધે છે. નાણાના પ્રવાહમાં ઘટાડો થાય છે અથવા આર્થિક નુકસાનની શક્યતાઓ છે. વ્યક્તિ મહેનત કરીને પણ પૂરતા પૈસા કમાઈ શકતો નથી.

તો જે વ્યક્તિના જૂના કપડાં સફાઈ માટે વપરાય છે તેને સૌથી વધુ ખરાબ અસર થાય છે. બીમારીઓ તેને ઘેરી લે છે. તમામ સારવાર બાદ પણ તે સ્વસ્થ નથી રહી શકતો કારણ કે તે વ્યક્તિની ઉર્જા તેણે પહેરેલા કપડાંમાં જ રહે છે. પોતું કરવું વ્યક્તિ પર નકારાત્મક અસર કરે છે. તે નિરાશાવાદી બની જાય છે. તેની પ્રગતિ અટકી જાય છે.

તો પછી જૂના કપડાંનું શું કરવું? વાસ્તુ શાસ્ત્ર અનુસાર પહેરી લીધેલા જુના કપડા જરૂરિયાતમંદોને દાન કરવા વધુ સારું છે. આ માટે સૌપ્રથમ કપડાંને સાબુ-ડિટરજન્ટથી ધોઈ લો, પછી મીઠાના પાણીમાં સારી રીતે ધોઈ લો. આ પછી દાન કરો.

તેનાથી તમને દાન કરવાનું પુણ્ય મળશે અને જરૂરિયાતમંદોને મદદ પણ થશે. પોતું કરવા માટે બજારમાં ઉપલબ્ધ પોતા અથવા ટુવાલ વગેરેનો ઉપયોગ કરો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)