Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
રાતના સમયે વાળ અને નખ કેમ નથી કાપવામાં આવતા? ૯૯ ટકા લોકોને નથી ખબર તેનું કારણ - Gujarat Beat

રાતના સમયે વાળ અને નખ કેમ નથી કાપવામાં આવતા? ૯૯ ટકા લોકોને નથી ખબર તેનું કારણ

હિન્દુ ધર્મમાં ઘણી માન્યતાઓ છે. ધર્મમાં માનનારા લોકો તેનું ખાસ ધ્યાન રાખતા હોય છે. તેમાંથી એક માન્યતા એ છે કે રાત્રે વાળ અને નખ ના કાપવા. કદાચ તમે પણ રાત્રે વાળ અને નખ નહીં કાપતા હોવ. વડીલો તેમ કરવાની ના પાડતા હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એવું કેમ થાય છે? રાત્રે વાળ અને નખ કેમ કપાતા નથી? તમને જણાવી દઈએ કે આની પાછળ ધાર્મિક માન્યતાઓ છે પરંતુ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. ચાલો કહીએ.

આ છે ધાર્મિક કારણઃ હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે રાત્રે વાળ અને નખ ના કાપવા જોઈએ. એવું માનવામાં આવે છે કે રાત્રે વાળ અને નખ કાપવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે. તે કારણથી ધર્મમાં માનનારા લોકો અને ઘરના વડીલો રાત્રે વાળ અને નખ કાપવાની ના પાડતા હોય છે.

વૈજ્ઞાનિક કારણ શું છે? રાત્રે વાળ અને નખ ના કાપવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. વાસ્તવમાંરાત્રે આપણે ખાવું, પીવું, ચાલવું અને સૂવું જેવા ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરીએ છીએ. તેવી સ્થિતિમાં કપાયેલા વાળ જ્યાં- ત્યાં પડતા હોય છે.

જેના કારણે ઘણી વખત ખાવાની વસ્તુઓમાં વાળ ખરી જતા હોય છે. તેઓ આપણું સ્વાસ્થ્ય બગાડી શકે છે. આ સાથે વાળમાં ગંદકી અને બેક્ટેરિયા પણ ફેલાય છે. આ જ કારણ છે કે રાત્રે વાળ નથી કપાતા હોતા.

વાળ ના કાપવાના સામાન્ય કારણોઃ રાત્રે વાળ અને નખ ના કાપવાના આ નિયમો ઘણા સમય પહેલા બની ગયા હતા. તે સમયે ઘરોમાં લાઈટની સારી વ્યવસ્થા નહોતી. રાત્રીના સમયે લોકોએ ભારે મુશ્કેલી સાથે થોડા ઘણા અજવાળાની વ્યવસ્થા કરવી પડતી હતી.

તેથી વાળ અને નખ જેવા કામ સૂર્યાસ્ત પહેલા કરવાનો નિયમ હતો. કારણ કે અંધારામાં કાતર વાપરવાથી ઈજા થવાની શક્યતા હતી. એટલા માટે અમારા વડીલોએ રાત્રે આ કામ કરવાની ના પાડતા હતા.