Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
પીપળાના પાંદડા સાથે જોડાયેલ આ ઉપાયો કરવાથી થશે ચમત્કાર, પૈસાની તંગી થશે દુર - Gujarat Beat

પીપળાના પાંદડા સાથે જોડાયેલ આ ઉપાયો કરવાથી થશે ચમત્કાર, પૈસાની તંગી થશે દુર

સનાતન ધર્મમાં અનેક વૃક્ષો અને છોડ તેવા છે જેમાં દેવતાઓ નિવાસ કરે છે અને તેમની પૂજા કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. આ છોડમાં તુલસી, શમીનો છોડ, વડનું વૃક્ષ, પીપળનું વૃક્ષ વગેરેનો સમાવેશ થાય છે. આજે આપણે પીપળાના ઝાડ વિશે જાણીશું. તેવું માનવામાં આવે છે કે પીપળના ઝાડમાં ત્રણ દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશા નિવાસ કરે છે. તેની સાથે જ શનિદેવ અને માં લક્ષ્મીની કૃપા પણ વરસે છે.

તેમ જ જ્યોતિષમાં પીપળના ઝાડના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. તમારી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ ઉપાયો ખૂબ જ કારગર સાબિત થાય છે. તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આવો જાણીએ પીપળના પાંદડાના ઉપાયો વિશે.

પીપળાના પાનથી કરો આ ઉપાય: પીપળના પાન પર લખો આ શબ્દો: મંગળવાર અને શનિવારે પીપળના ઝાડમાંથી એક પાન તોડીને ગંગાના જળથી ધોઈ લો અને પછી હળદર અને દહીં વડે અનામિકા આંગળીની મદદથી “हीं” લખો. આ પછી આ પાન જોઇને પર્સમાં રાખો. દર શનિવારે આ ઉપાય કરવાથી વ્યક્તિની સમસ્યાઓ દૂર થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

પીપળાના ૧૧ પાંદડાના આ ઉપાયો છે અસરકારક: પીપળાના સાથે તોડ્યા વિના ૧૧ પાંદડા લો અને તેને ધોઈ લો. આ પછી આ પાંદડા પર કુમકુમ, અષ્ટગંધ અથવા ચંદન મિક્સ કરીને શ્રી રામનું નામ લખો. તેમ કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરતા રહો. આ પછી આ પાંદડાની માળા બનાવીને હનુમાન મંદિરમાં ચઢાવો. તેમ કરવાથી તમારા દરેક કાર્ય પૂર્ણ થવા લાગશે.

પીપળાના પાનથી શિવલિંગની પૂજા: ધાર્મિક ગ્રંથોમાં પીપળાના ઝાડ નીચે શિવલિંગની સ્થાપનાનું વિશેષ મહત્વ જણાવવામાં આવેલું છે. જે વ્યક્તિ આ વૃક્ષની નીચે સ્થાપિત શિવલિંગની નિયમિત પૂજા કરે છે, તેને તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)