ચુપચાપ ઘરમાં આ જગ્યા પર મૂકી દો ઈલાઈચી, જીવનમાં આવવા લાગશે અપાર ધન

સ્વાદ અને સુગંધથી ભરપૂર એલચીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા તો થાય જ છે અને તેની મદદથી ભાગ્ય પણ ચમકે છે. નાની ઈલાયચી સાથે અનેક પ્રકારના ઉપાયો જોડાયેલા છે. જેનાથી તમારા સિતારા ઉંચાઈએ પહોંચી જાય છે અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળવા લાગે છે. ઘણા લોકો ઈલાયચી સાથે સંબંધિત આ ઉપાયો સરળતાથી કરી શકે છે અને તેમના જીવનને સુધારી શકે છે.

એલચી સંબંધિત ટ્રિક્સ – પૈસામાં રહેશે બરકત: તમારી બેગ અથવા પર્સમાં પાંચ નાની એલચી રાખો. એવું કરવાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં થાય અને હંમેશા ભરેલું રહેશે. પર્સ ઉપરાંત તમે તમારી તિજોરીમાં એલચી પણ રાખી શકો છો. જો કે, તમારે તેમાં સમયાંતરે એલચી બદલતા રહેવું.

સુંદર પત્ની મેળવવા માટેઃ સુંદર પત્ની મેળવવા માટે પાંચ ઈલાયચી લઈને પીળા કપડામાં બાંધીને કોઈ ગરીબને દાન કરી દેવી. ગુરુવારના દિવસે આ ઉપાય કરવાથી તમને સુંદર પત્ની મળશે.

પ્રગતિ મેળવવા માટેઃ ઈચ્છિત નોકરી મેળવવા અને જીવનમાં પ્રગતિ કરવા માટે દરરોજ રાત્રે સૂતી વખતે તમારા પલંગની નીચે એક ઈલાયચી રાખો અને સવારે આ ઈલાયચી કોઈ ગરીબ અથવા ભિખારીને આપો. તમને જોઈતી નોકરી અથવા તમે જે વસ્તુ મેળવવા ઈચ્છો છો તે ના મળે ત્યાં સુધી આ ઉપાય કરો.

સારા માર્કસ મેળવવા માટેઃ ભિખારીને એલચીનું દૂધ પીવડાવવાથી તમારા પર માતા સરસ્વતીની કૃપા વરસે છે અને તમે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવો છો. તમે ફક્ત આ ઉપાય સતત સાત સોમવાર કરો અને દૂધમાં એલચી ઉમેરી દો અને આ દૂધ કોઈ ભિખારીને પીવડાવો.

આ ઉપાય કરવાથી તમને માં સરસ્વતી ની કૃપા પ્રાપ્ત થશે. આ સિવાય ગુરુવારે સાંજે પીપળના ઝાડની પાસે બે નાની એલચી ચઢાવવામાં આવે તો શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય છે. સતત ત્રણ ગુરુવાર સુધી આ ઉપાય કરવાથી તમે સૌથી અઘરી પરીક્ષા પાસ કરી શકો છો.

સુખી દાંપત્યજીવનઃ જો પત્નીનો પતિ તેની સાથે યોગ્ય વ્યવહાર ના કરતો હોય તો આવી પત્નીઓએ રવિવારે પોતાની પાટલીમાં ઈલાયચી બાંધવી જોઈએ અને આ મંત્રનો જાપ કરવો જોઈએ ”ॐ शं सम्मोहनाय फट् स्वाहा”. ઈલાયચીને આખો દિવસ પાટલીમાં બાંધીને રાખો અને બીજા દિવસે એટલે કે સોમવારે આ ઈલાયચીને ચા કે દૂધમાં નાખીને તમારા પતિને પીવા આપો. આ ઉપાયો કરવાથી તમારા પતિનું તમારા પ્રત્યેનું વર્તન યોગ્ય રહેશે.

કાર્યમાં સફળ થવા માટેઃ જ્યારે પણ તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જાવ તો સૌથી પહેલા ઈલાયચી ખાઓ અને ખાતી વખતે શ્રીં શ્રીં બોલો. ઈલાયચી ખાતા જ તમારા કામ માટે ઘરની બહાર નીકળો અને પાછું વળીને ના જોવું. આ ઉપાયો કરવાથી તમે જે કાર્ય કરવાનું નક્કી કર્યું છે તેમાં ચોક્કસપણે સફળ થઇ જશો.