Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
રાતોરાત કિસ્મત પલટી દેશે પાંચ રૂપિયાના સિક્કાનો આ ઉપાય, કુબેર દેવની કૃપાથી થઇ જશે પૈસા જ પૈસા! - Gujarat Beat

રાતોરાત કિસ્મત પલટી દેશે પાંચ રૂપિયાના સિક્કાનો આ ઉપાય, કુબેર દેવની કૃપાથી થઇ જશે પૈસા જ પૈસા!

દરેક વ્યક્તિ જીવનમાં તમામ સુખ- સુવિધાઓ અને ભૌતિક સુખોથી ભરપૂર બનવા માંગતો હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જીવનમાં માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય. પરિવારમાં કોઈ વસ્તુની કમી ના થવી જોઈએ. જેના માટે તે દિવસ- રાત મહેનત પણ કરે છે પરંતુ ઘણી વખત નસીબના અભાવે વ્યક્તિને તેની મહેનતનું પૂરું ફળ નથી મળતું. તેવી સ્થિતિમાં જ્યોતિષમાં કેટલાક વિશેષ ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેમાંથી એક ઉપાય છે પાંચ રૂપિયાનો સિક્કો.

જ્યોતિષમાં પાંચ રૂપિયાના સિક્કાને લઈને કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, આ ઉપાય કરવાથી વ્યક્તિની આવક ચોક્કસ વધે છે. તેની સાથે વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે. આ ઉપાય કરવાથી વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા વરસે છે અને વ્યક્તિને તરત જ શુભ ફળ મળે છે. ચાલો જાણીએ પાંચ રૂપિયાના સિક્કાથી કેવી રીતે અમીર બની શકાય.

પાંચ રૂપિયાના સિક્કાથી કરો આ ઉપાયઃ જ્યોતિષમાં પાંચ રૂપિયાના સિક્કાના ખૂબ જ ચમત્કારી ઉપાય જણાવવામાં આવ્યો છે. તેના માટે ઘરના મંદિરની પાસે અક્ષત અથવા દુર્વાથી ભરેલો કાળશ સ્થાપિત કરો. આ કલરમાં પાંચ રૂપિયાનો સિક્કો રાખો. ત્યારપછી આ કળશની નિયમિત પૂજા કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. એટલું જ નહીં, વ્યક્તિની કિસ્મત પલટવામાં સમય નથી લાગતો.

આ સિવાય આ ઉપાય તમારા નસીબને ચમકાવવામાં પણ મદદ કરશે. પાંચ રૂપિયાનો સિક્કો લો અને તેના પર તમારા નામનો પહેલો અક્ષર સિંદૂરથી લખો. આ સિક્કાને છત પર અથવા પાણીની ટાંકી પર રાખો. આ પાંચ રૂપિયાનો સિક્કો આખી રાત ત્યાં જ છોડી દો.

બીજા દિવસે સવારે તેને પૂજા ઘરમાં રાખો. આ પછી માં લક્ષ્મીનું આહવાન કરતી વખતે તેને લાલ રંગના કપડામાં બાંધી દો. હવે આ લાલ રંગના બંડલને તમારા પર્સમાં અથવા સેફમાં રાખો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)