Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
શનિવારના દિવસે કાળા કુતરાને ખવડાવો આ વસ્તુ, શનિદેવ છપ્પરફાડ વરસાવશે પૈસો - Gujarat Beat

શનિવારના દિવસે કાળા કુતરાને ખવડાવો આ વસ્તુ, શનિદેવ છપ્પરફાડ વરસાવશે પૈસો

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે શનિ, રાહુ અને કેતુ તેના પર નકારાત્મક પ્રભાવ ન પડે. આ માટે લોકો વિવિધ ઉપાયો પણ કરે છે. જો આ ત્રણેય ગ્રહોની અશુભ દૃષ્ટિ હોય તો વ્યક્તિ અમીરથી ગરીબ અને રાજાથી લઈને રંક સુધી બની જાય છે. મોટાભાગના લોકો ઘરમાં કૂતરા પાળે છે. તેવી સ્થિતિમાં જો તમે આ 3 ગ્રહની અશુભ દૃષ્ટિથી બચવા માંગતા હોવ તો તમે કાળા કૂતરાના કેટલાક ઉપાય કરી શકો છો.

કાળો કૂતરો રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નથી પ્રવેશતી. કાળો કૂતરો ઘર અને પરિવારના સભ્યોને ખરાબ નજરથી પણ બચાવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળા કૂતરા પર શનિ અને કેતુ બંને ગ્રહોનો પ્રભાવ હોય છે. જેના કારણે બંને ગ્રહો શાંત રહે છે.

જો તમે ઘરની બહાર, રસ્તા પર ક્યાંય પણ કૂતરો જુઓ તો તેની સેવા કરો અને તેની સંભાળ રાખો અને તેમને રોટલી ખવડાવો. એવું કહેવાય છે કે તેમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. ખાસ કરીને જેમની કુંડળીમાં શનિદોષ, શનિની સાડાસાતી અને શનિની નાની પનોતી ચાલી રહી છે. તેઓએ આ કામ જરૂરથી કરવું જોઈએ.

શનિ દોષથી બચવા માટે કૂતરાઓને સરસવના તેલ ચોપડેલી રોટલી ખવડાવવી જોઈએ. કૂતરાને પાળવાથી કે તેની સેવા કરવાથી કાલ ભૈરવ પણ પ્રસન્ન થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)