શનિદેવને ન્યાયના દેવતા અને કર્મફળના દાતા તરીકે ઓળખવામાં આવે છે. શનિની ચાલમાં પરિવર્તન તમામ ૧૨ રાશિના લોકોના જીવનને અસર કરે છે. શનિદેવ વ્યક્તિના કાર્યો પર નજર રાખે છે અને જે વ્યક્તિ સારા કાર્યો કરે છે તેને શુભ ફળ મળે છે અને જે વ્યક્તિ ખરાબ કાર્યો કરે છે તેને અશુભ ફળ મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિવાર શનિદેવને સમર્પિત હોય છે.
શનિવારના દિવસે શનિદેવની વિધિપૂર્વક પૂજા કરવાથી અને શનિદેવને તેલ ચઢાવવાથી વ્યક્તિ તેમના વિશેષ આશીર્વાદ મેળવે છે. સાથે જ વ્યક્તિને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આપને જણાવી દઈએ કે ૨૯ જૂનના રોજ શનિદેવ વક્રી થયા હતા અને હાલમાં તેઓ કુંભ રાશિમાં બિરાજમાન છે. તેવી સ્થિતિમાં જ્યારે શનિ ફરી એક વખત માર્ગીય થાય છે ત્યારે કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળવાનો છે. જાણો આ રાશિઓ વિશે.
શનિદેવ ક્યારે સીધા જશેઃ વૈદિક જ્યોતિષમાં શનિદેવ ૨૯ માર્ચ, ૨૦૨૫ સુધી કુંભ રાશિમાં રહેશે. તમને જણાવી દઈએ કે હાલમાં શનિદેવ આ રાશિમાં વક્રી ચાલમાં આગળ વધી રહ્યા છે. તો ૧૫ નવેમ્બરના રોજ શનિદેવ કુંભ રાશિમાં માર્ગીય થશે. આ દિવસે શનિદેવ રાત્રે ૦૮:૦૭ કલાકે માર્ગીય થશે. જાણો કઈ રાશિના જાતકોને આ સમયગાળામાં વિશેષ લાભ થશે. આ રાશિના લોકોને શનિની સાડાસાતીથી મુક્તિ મળશે.
સાડાસાતીની અસર ઘટશેઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે મકર રાશિના લોકો પર શનિની સાડેસાતીની અસર જોવા મળી રહી છે. તો મીન રાશિના લોકો માટે સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે અને કુંભ રાશિના લોકો માટે બીજો તબક્કો ચાલી રહ્યો છે. શનિની રાશિ પરિવર્તન બાદ મકર રાશિના લોકોને સાડાસાતીના પ્રભાવથી મુક્તિ મળશે.
તો બીજીતરફ મેષ રાશિના લોકો માટે સાડાસાતીનું પ્રથમ ચરણ શરૂ થશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)