Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
શું તમે જાણો છો શનિદેવની આઠ પત્નીઓના નામ? શનિદેવ ક્રોધિત થાય તો આવી રીતે કરે છે શાંત - Gujarat Beat

શું તમે જાણો છો શનિદેવની આઠ પત્નીઓના નામ? શનિદેવ ક્રોધિત થાય તો આવી રીતે કરે છે શાંત

ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેઓ લોકોને તેમના કર્મોના આધારે સુખ કે દુ:ખ આપે છે. કહેવાય છે કે શનિદેવનો ક્રોધ ખૂબ જ ખતરનાક હોય છે. જો તેઓ કોઈ વ્યક્તિ પર ગુસ્સે થઈ જાય છે, તો તેના જીવનમાં દુ:ખનો પૂર આવી જાય છે. આ સ્થિતિમાં તેમના ગુસ્સાને શાંત કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે પરંતુ જો તમે શનિદેવની આઠ પત્નીના નામનો જાપ કરો છો, તો તમે તેમના ગુસ્સાને તરત જ શાંત કરી શકો છો.

શનિદેવને છે આઠ પત્ની: બહુ ઓછા લોકો જાણે છે કે શનિદેવની કુલ આઠ પત્નીઓ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે પણ શનિદેવ ક્રોધિત થાય છે ત્યારે તેમની પત્નીઓના નામ લઈને તેમને શાંત કરી શકાય છે. એટલું જ નહીં પત્નીઓના નામ લેવાથી શનિદેવ એટલા પ્રસન્ન થઈ જાય છે કે તેઓ ભક્તના જીવનની તમામ પરેશાનીઓ દૂર કરી દે છે. જો તમારી કુંડળીમાં શનિ ખરાબ સ્થિતિમાં હોય અથવા તો શનિની સાડાસાતી કે નાની પનોતી/ દશા ચાલી રહી હોય તો તમે શનિદેવની પત્નીઓના નામ લઈને આ સ્થિતિમાંથી બહાર નીકળી શકો છો.

શનિદેવની પત્નીઓના નામ: તમારામાંથી બહુ ઓછા લોકોએ શનિદેવની પત્નીઓ વિશે સાંભળ્યું હશે. કદાચ જો સાંભળ્યું હશે તો પણ તેમના નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે. આવી સ્થિતિમાં આજે અમે તમને શનિદેવની તમામ આઠ પત્નીઓના નામ જણાવવા જઈ રહ્યા છીએ. આ નામો છે – ધ્વજહિની, ધામિની, કલહાપ્રિયા, કંકલી, તુરંગી, કંતકી, મહિષી અને અજા.

આ મંત્રથી શનિદેવની પત્નીઓના નામનો કરો જાપ: શનિદેવની પત્નીઓના નામ એક મંત્રમાં સામેલ છે. તમારે શનિવારે શનિદેવની સામે બેસીને આ મંત્રનો જાપ કરવો જોઈએ. તેનો જાપ કરવાથી શનિદેવની કૃપા તમારા પર બની રહેશે. તેની સાથે જ શનિદેવનો ક્રોધ શાંત થશે. આ છે મંત્ર –

ध्वजिनी धामिनी चैव कंकाली कलहप्रिया। कंटकी कलही चाऽथ तुरंगी महिषी अजा।।
शनेर्नामानि पत्नीनामेतानि संजपन् पुमान्। दुःखानि नाशयेन्नित्यं सौभाग्यमेधते सुखम।।

શનિવારે આ વાતોનું રાખો ધ્યાન: આ મંત્રનો જાપ કરવા ઉપરાંત શનિવારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખો. ઉદાહરણ તરીકે, આ દિવસે શનિદેવની મૂર્તિ પર કાળા તલ અને સરસવનું તેલ ચઢાવો. શનિવારે લોખંડ કે લોખંડની વસ્તુઓ, તેલ વગેરે ખરીદવાનું ટાળો. વડીલોનું સન્માન કરો અને કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો. શનિવારે ગરીબ અને નિરાધાર લોકોની મદદ કરવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે.

શનિવારે ઉપવાસ: શનિવારના ઉપવાસનું પણ વિશેષ મહત્વ છે. જ્યારે પણ તમે આ વ્રત શરૂ કરો ત્યારે સૌપ્રથમ સૂર્યોદય પહેલા ઉઠો અને વ્રત રાખવાની પ્રતિજ્ઞા લો. એવું માનવામાં આવે છે કે શનિવારે વ્રત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વ્રતથી તમે ન માત્ર શનિદેવના પ્રકોપથી સુરક્ષિત રહો છો, પરંતુ રાહુ, કેતુની ખરાબ અસર પણ તમારા પર પડતી નથી. આ વ્રત સંતાનોને સુખ આપે છે. ઘરમાં સુખ-શાંતિ રહે છે.

આ વ્રતનો મહત્તમ લાભ મેળવવા માટે તમારે સૂર્યોદય સમયે શનિદેવની પૂજા કરવી જોઈએ. ઉપવાસ દરમિયાન સિગારેટ, તમાકુ, ગુટખા, પાન મસાલા જેવી વસ્તુઓ ના ખાવી જોઈએ. આ દિવસે કાળી વસ્તુઓનું દાન કરવું પણ શુભ હોય છે.