Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
થાળીમાં એક સાથે નથી પીરસવામાં આવતી ત્રણ રોટલી, માનવામાં આવે છે અશુભ.. જાણો માન્યતા - Gujarat Beat

થાળીમાં એક સાથે નથી પીરસવામાં આવતી ત્રણ રોટલી, માનવામાં આવે છે અશુભ.. જાણો માન્યતા

જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી બધી બાબતો પાછળ કેટલીક માન્યતાઓ હોય છે, જે બહુ ઓછા લોકો જાણતા હોય છે પરંતુ તે બાબતોનું પાલન જરૂર કરતા હોય છે. તેવી જ એક માન્યતા એ છે કે એક થાળીમાં એકસાથે ત્રણ રોટલી ના પીરસવી.

હાં ઘણી વાર ઘરોમાં દાદી કે વડીલો કહેતા સાંભળવા મળતા હોય છે કે થાળીમાં ત્રણ રોટલી કે ત્રણ ચીલા કે ત્રણ પુરીઓ એકસાથે પીરસવામાં નથી આવતી.  તેવું આપણે સદીઓથી જોતા અને સાંભળતા આવ્યા છીએ. પરંતુ તેની પાછળની માન્યતા થોડા જ લોકો જાણતા હોય છે. આવો જાણીએ તેની પાછળનું કારણ.

એટલે એક થાળીમાં નથી પીરસવામાં આવતી ત્રણ રોટલી: જ્યોતિષ શાસ્ત્રમાં ત્રણ નંબરને સારો માનવામાં આવતો નથી. માન્યતા અનુસાર, નંબર ત્રણને પૂજા અથવા સામાન્ય જીવનથી પણ દૂર રાખવામાં આવતો હોય છે, જેથી જીવનમાં તેની ખરાબ અસર ઓછી પડે.

એવું માનવામાં આવે છે કે મૃતકની થાળી પીરસવામાં આવે છે તેમાં ત્રણ રોટલી રાખવામાં આવે છે. તેથી જ જીવિત વ્યક્તિની થાળીમાં ત્રણ રોટલી રાખવામાં આવતી નથી. તેમ કરવું અશુભ માનવામાં આવે છે. એટલે પરિવારના લોકો ભલે ને એક સાથે થાળીમાં ૪-૫ કેટલીય પણ રોતી કે પૂરી પીરસી શકે છે. બસ ત્રણથી દુર ર્હેઉવ જોઈએ.

રોટલી સિવાય હિંદુ પરિવારોમાં ભોજન સાથે જોડાયેલી બીજી ઘણી માન્યતાઓ છે, જેને લોકો માનતા આવ્યા છે અને તે બધી માન્યતાઓના જુદા જુદા કારણો છે. જો કે, લોકો સદીઓથી ત્રણ રોટલીની વાત માનતા આવ્યા છે.

જો કે, તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી હોતો પરંતુ હજુ પણ આ વાતો એક પેઢીથી બીજી પેઢીમાં ચાલી રહી છે અને લોકોના સ્વભાવનો એક ભાગ બની ગઈ છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)