શુક્ર ગોચર કરીને આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે. શુક્ર સુખ, સમૃદ્ધિ, પ્રેમ, સુંદરતા, સુખી દામ્પત્ય જીવન અને સન્માનના કારક છે. ૧૨ જૂને શુક્ર ગોચર કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. હવે શુક્ર નક્ષત્ર ગોચર ૧૮ મી જૂન ૨૦૨૪ ના રોજ કરી રહ્યા છે. શુક્ર નક્ષત્ર બદલીને આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે. ૨૯ જૂન સુધી શુક્ર આદ્રા નક્ષત્રમાં રહેશે.
શુક્રનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થતાં જ તમામ રાશિઓની કારકિર્દી અને આર્થિક સ્થિતિ પર મોટી અસર પડશે. કેટલીક રાશિના જાતકોને જબરદસ્ત લાભ મળશે. તેમની આર્થિક તંગી દૂર થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. ચાલો જાણીએ કે શુક્રના આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશવાની શુભ અસર કઈ રાશિઓ પર પડશે. રાશિઓ પર શુક્રના નક્ષત્ર ગોચરની અસર
મેષ: મેષ રાશિના જાતકોને શુક્રના નક્ષત્રમાં પરિવર્તનથી ઘણો ફાયદો થશે. વેપારમાં લાભ થશે. ધન- સંપત્તિમાં વધારો થશે. રોકાણ માટે સારો સમય છે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. વૈવાહિક જીવનનો તણાવ સમાપ્ત થશે. લવ લાઈફ સારી રહેશે.
સિંહ: શુક્રનું ગોચર સિંહ રાશિના લોકોને પણ ઘણો લાભ આપશે. અત્યાર સુધી જે અવરોધો હતા તે હવે દૂર થશે. તમે તમારી કારકિર્દીમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો. તમને નવી નોકરીની ઓફર મળશે. અચાનક આર્થિક લાભ થઈ શકે છે. એકંદરે સમય સારો છે.
તુલા: આદ્રા નક્ષત્રમાં શુક્રનો પ્રવેશ તુલા રાશિના જાતકોને જબરદસ્ત લાભ આપશે. તમને એકથી વધુ સ્ત્રોતોમાંથી પૈસા મળશે. અટકેલા ધન પ્રાપ્ત થશે. તમારું બેંક બેલેન્સ વધશે. આવકમાં વધારો થશે. નવા કામની શરૂઆત કરવા માટે સમય સારો છે. ધંધો સારો ચાલશે.
મકરઃ શુક્રનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ મકર રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થશે. ધન, સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે. આર્થિક લાભ થશે. સંબંધોમાં કડવાશ દૂર થશે. ઘરમાં સુખ- શાંતિ રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. કરિયરમાં આવતા અવરોધો દૂર થશે. પ્રગતિની તકો રહેશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)