આજના ઝડપથી વિકસતા યુગમાં જો કોઈ વ્યક્તિ વશિકરણ વિશે વાત કરે છે તો લોકો તેને પાગલ માની લેતા હોય છે, પરંતુ હજુ પણ ઘણા લોકો એવા છે જે તેને સાચી વાત માને છે અને તેનો પ્રયોગ કરતા હોય છે. તેના માધ્યમથી લોકોને કેટલાક મંત્રોનો પ્રયોગ કરીને નિયંત્રિત કરવામાં આવે છે અને તેમને તેમના મનપસંદ કામ કરાવવામાં આવે છે.
આજકાલ તેનો ઉપયોગ સૌથી પ્રેમી યુગલ કે પતિ-પત્ની દ્વારા કરવામાં આવતો હોય છે, જેથી તેમનો પાર્ટનર તેમની દરેક વાતનું પાલન કરે. કેટલાક લોકો પોતાની ગર્લફ્રેન્ડને રીઝવવા માટે પણ આનો સહારો લેતા હોય છે.
એક જૂની કહેવત છે કે જ્યારે સીધી આંગળીથી ઘી ના નીકળે ત્યારે આંગળીને વાંકા કરવી પડે છે, તેથી અહીં આંગળી વાંકી એટલે વશીકરણ મંત્રનો પ્રયોગ હોય છે પરંતુ જરૂરી નથી હોતું કે તમે વશિકરણ મંત્ર દ્વારા સંપૂર્ણ રીતે સફળ બનો. તમારી સફળતા પણ તેના પર નિર્ભર છે કે તમે આ કરવા માટે કોની મદદ લીધી છે? જો તમે નિષ્ણાતની મદદથી આ કરો છો, તો તેની સફળતાની શક્યતા વધુ રહેતી હોય છે.
વશિકરણ મંત્ર પણ યોગ્ય કાર્ય માટે કરવામાં આવે છે અને તે ખરાબ કાર્યો માટે પણ, જો કે તે તો કરનાર વ્યક્તિ પર જ નિર્ભર છે કે તે વશિકરણનો ઉપયોગ કયા હેતુ માટે કરવા માંગે છે. ઘણા લોકો પોતાના લગ્ન બચાવવા માટે તેવું કરે છે તો ઘણા લોકો પોતાની ગર્લફ્રેન્ડને મનાવવા માટે તેવું કરે છે, પરંતુ ક્યારેક તેની અસર ઉંધી પણ થતી હોય છે. તેવી સ્થિતિમાં લાભને બદલે નુકસાન થાય છે. ત્યારે તેને ઓળખીને તોડ મેળવવાની જરૂર હોય છે.
વશિકરણ મંત્રના લક્ષણો અને તેના ભંગ વિશે આગળ જાણો: વશિકરણ મંત્ર તમને લાભ કરતાં વધુ નુકસાન પહોંચાડી શકે છે. તેથી તેને લઈને ઘણી તકેદારીની જરૂર હોય છે પરંતુ કેટલીકવાર સાવધાની રાખવા છતાં તેની વિપરીત અસર થતી હોય છે. તેને ઓળખવાની કેટલીક રીતો છે અને કેટલાક ઉપાયો.
૧. જો વશિકરણ મંત્રના પ્રયોગને લીધે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ સાથે ઝઘડો થઈ રહ્યો હોય તો એક લીંબુ લઈને તે વ્યક્તિના માથા પર ૨૧ વખત ફેરવો અને લીંબુને ઘરથી દૂર ચાર રસ્તા પર મૂકી આવો પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે તે લીંબુને ફરીથી પાછું વળીને ના જોવું.
૨- વશીકરણની સૌથી વધુ અસર અમાવાસ્યા કે પૂર્ણિમાની રાત્રે જોવા મળે છે, જો કોઈ વ્યક્તિ તેના પ્રભાવમાં હોય તો તેને ઘણી બેચેની રહે છે અને તેને ઉંધી સીધી હરકતો પણ કરે છે. તેવી સ્થિતિમાં પીળી સરસવ, ગુગળ, ગાયનું ઘી અને લોબાન મિક્સ કરીને તેનો ધૂપ કરો અને સાંજ પછી સળગાવી દો.
૩- જો તમારા ઘરના કોઈપણ સભ્યનું વર્તન અચાનક બદલાઈ ગયું હોય તો મહિનાના સુદ પક્ષના કોઈપણ બુધવારે ચાર ગોમતી ચક્ર લઈને પીડિત વ્યક્તિના માથાને ચાર વાર ફેરવીને ચારેય દિશામાં ફેંકી દો. તેમ કરવાથી તે વ્યક્તિને લાભ થશે.
આપેલ પગલાં લેવામાં શરમાશો નહીં- ૪- જો તમારા ઘરના સભ્ય બહુ બીમાર રહે છે અથવા ઘરના અન્ય સભ્યો પણ પહેલા કરતા વધારે બીમાર થઈ રહ્યા છે તો તમારે તમારા ઘરમાં સફેદ આંકડાનો છોડ લઇ આવવો જોઈએ. જો શક્ય હોય તો, છોડના મૂળને તમારા ગળામાં બાંધી લો.
૫- જો તમારા ઘરનો કોઈ વ્યક્તિ કોઈના વિશે ઘણું વિચારે છે અને તેને હંમેશા યાદ કરે છે, તો તમારે કાળી માતાને સાત ગુલાબ અર્પણ કરવા જોઈએ અને ऋं ह्रीं મંત્રના જાપ કરવા જોઈએ. કોઈપણ એક ગુલાબના સાત પાન કાપીને પ્રભાવિત વ્યક્તિને ખવડાવો.
૬- જો ઘરની કોઈ વ્યક્તિ અજાણ્યા વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવા લાગે છે, તો તેનો અર્થ એ છે કે તેના પર વશીકરણ મંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં લીંબુ પર સિંદૂર લગાવીને ભુવનેશ્વરી માતાના મંત્ર ॐ ह्रीं ॐ નો ૧૦૮ વાર જાપ કરો. લીંબુને ઘરમાં ફેરવ્યા પછી છત પર જઈને તેના ચાર ટુકડા કરી ચારેય દિશામાં ફેંકી દો.
જો તમને ડરામણા સપના આવતા હોય તો: ૭- જો ઘરના કોઈપણ સભ્યને રાત્રે ખૂબ જ ડરામણા સપના આવે તો ગોરોચન તગરને લાલ કપડામાં બાંધીને ઘરના પૂજા સ્થાન પર રાખો. થોડા દિવસોમાં આ સમસ્યા દૂર થઈ જશે.
૮- જો તમારા ઘરના કોઈ સભ્યનું માનસિક સંતુલન અચાનક બગડવા લાગ્યું હોય તો ગાયત્રી કેસર, ગુગળ અને જાવંત્રી ભેળવીને ધૂપ તૈયાર કરો અને તેને ૨૧ દિવસ સુધી સતત સવાર- સાંજ સળગાવો. તેમ કરવાથી જલ્દી ફાયદો થશે અને પ્રભાવિત વ્યક્તિને પણ ફાયદો થશે.
જો તમારા ઘરના કોઈપણ સભ્યમાં આ બધા લક્ષણો જોવા મળે છે, તો તમારે તરત જ સમજી લેવું જોઈએ કે તેમના પર વશીકરણ મંત્રનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને આપેલા ઉપાયો કરવાથી અચકાવું નહીં, જલ્દી જ તમને લાભ મળશે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)