દરેક ગ્રહ તેના પોતાના નિશ્ચિત સમયે ગોચર કરતા હોય છે. તમને જણાવી દઈએ કે ૧૬ જુલાઈના રોજ ગ્રહોના રાજા સૂર્યે કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. તો બીજીતરફ ગ્રહોના રાજકુમાર બુધનો ૨૯ જૂને કર્ક રાશિમાં પ્રવેશ થયો છે. તેવામાં ચંદ્ર રાશિ કર્ક રાશિમાં બંને ગ્રહો એકસાથે હોવાના કારણે બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે, જે ત્રણ રાશિના લોકો માટે ખૂબ જ લકી સાબિત થશે. આ સમયગાળા દરમિયાન કઈ રાશિના જાતકોને વિશેષ લાભ થશે? જાણો. બુધાદિત્ય રાજયોગ આ રાશિઓ માટે લકી રહેશે
કર્કઃ તમને જણાવી દઈએ કે આ રાશિમાં સૂર્ય અને બુધની હાજરીને કારણે બુધાદિત્ય રાજયોગ રચાયો છે. આ રાશિના લોકો માટે આ કોઈ વરદાનથી કમ નથી. આ સમયે નોકરીયાત લોકોને પ્રમોશન અને પગાર વધારો મળી શકે છે. સમાજમાં માન- સન્માન અને પદ મળવાની શક્યતાઓ રહેલી છે. આ સમયે વિવાહિત જીવન સુખમય રહેશે. આત્મવિશ્વાસ વધશે. જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય શુભ રહેશે. અવિવાહિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે.
કન્યા: બુધાદિત્ય રાજોયાગ આ રાશિના લોકો માટે શુભ સાબિત થશે. આવક વધશે અને નવા સંસાધનો બનશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે. શેરબજાર, સટ્ટાબાજી અને લોટરી વગેરેમાં લાભ થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. તો બીજીતરફ જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય અનુકૂળ છે. રોકાણથી લાભ થઈ શકે છે.
તુલા: આ રાશિના લોકો માટે આ રાજયોગ ભાગ્યશાળી સાબિત થશે. આ સમયે તમને કરિયર અને બિઝનેસમાં સફળતા મળશે. આવકમાં વધારો થશે. આ સમયે બેરોજગાર લોકોને નવી નોકરી મળી શકે છે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનની શક્યતાઓ રહેલી છે. સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આ સમયગાળો શુભ સાબિત થશે. તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે.
મિથુન: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકો માટે બુધાદિત્ય રાજયોગ શુભ સાબિત થશે. સમયાંતરે અણધાર્યા ધન લાભ થશે. સારી રીતે વિચારેલી યોજનાઓ સફળ થશે. આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનની શક્યતાઓ રહેલી છે. ભાગ્ય તમારા પક્ષે રહેશે. કારકિર્દીમાં ઉન્નતિ અને નોકરીમાં પગારમાં વૃદ્ધિની તકો મળશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)