દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. તે દિવસે માં લક્ષ્મીજીની સાથે કુબેર દેવ અને ધન્વન્તરી દેવની પૂજાનું વિધાન છે. માન્યતા છે કે તે દિવસે કુબેર દેવની વિધિ- વિધાનથી પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થઈને ભક્તો પર તેમની કૃપા વરસાવે છે અને તેમની પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. શાસ્ત્રોમાં કહેવાય છે કે સાચા માંથી જો કુબેર દેવની પૂજા કરવામાં આવે તો તેઓ ભકતોથી ઝડપી પ્રસન્ન થઈ જાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુબેરના ત્રણ શક્તિશાળી મંત્રો વિશે શાસ્ત્રોમાં જણાવ્યું છે. માન્યતા છે કે કોઈ ખાસ દિવસે અથવા નિયમિત રૂપે આ મંત્રનો જાપ કરવાથી ધનના રાજા કુબેર દેવનો આશીર્વાદ મળે છે. આ મંત્રો એટલા ચમત્કારી છે કે તે ગરીબ વ્યક્તિને પણ માલામાલ બનાવી દે છે. ચાલો જાણીએ તે મંત્રો વિશે. ભગવાન કુબેરનો અમોધ મંત્ર: ॐ यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्याधिपतये धनधान्यसमृद्धिं मे देहि दापय स्वाहा॥
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાય છે કે આ ધનના દેવતા કુબેરનો પ્રિય મંત્ર છે. આ ૩૫ અક્ષરથી બનેલો મંત્ર ખૂબ જ શક્તિશાળી છે માન્યતા છે કે નિયમિત ત્રણ મહિના સુધી આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને કોઈ પ્રકારના ધન- ધાન્યની કમી રહેતી નથી. સાથે જ વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
જણાવી દઈએ કે આ મંત્રનો જાપ ઓછામાં ઓછો એક માળા જેટલો કરવો જોઈએ. જ્યોતિષ અનુસાર આ મંત્રનો જાપ કરતા સમયે મુખ દક્ષિણ તરફ હોવું જોઈએ. અષ્ટ લક્ષ્મી કુબેર મંત્ર: ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्ट-लक्ष्मी मम गृहे धनं पुरय पुरय नमः॥
આ મંત્ર કુબેર દેવની સાથે માં લક્ષ્મીજીનો પણ માનવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિને જીવનમાં એશ્વર્ય, પદ, પ્રતિષ્ઠા અને સૌભાગ્યની પ્રાપ્તિની ઈચ્છા હોય છે, તેમને સાચા મનથી આ મંત્રનો જાપ કરવો જોઈએ. જો તમે વિશેષ લાભ મેળવવા માંગો છો તો આ મંત્રનો જાપ શુક્રવારની રાત્રે કરો. ધન પ્રાપ્તિ માટેનો મંત્ર: ॐ श्रीं ह्रीं क्लीं श्रीं क्लीं वित्तेश्वराय नमः॥
માન્યતા છે કે કુબેર દેવના આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને દરેક ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે જો વ્યક્તિ નિયમિત રૂપે આ મંત્રનો જાપ કરે છે તો તેને જીવનમાં ક્યારેય આર્થિક તંગનો સામનો કરવો પડતો નથી.