Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
૧૮ દિવસ સુધી જ કેમ ચાલ્યું હતું મહાભારતનું યુદ્ધ, અંતમાં કેમ બચેલા ૧૮ લોકો? જાણો કારણ - Gujarat Beat

૧૮ દિવસ સુધી જ કેમ ચાલ્યું હતું મહાભારતનું યુદ્ધ, અંતમાં કેમ બચેલા ૧૮ લોકો? જાણો કારણ

મહાભારતનું યુદ્ધ દ્વાપર યુગમાં ધર્મના રક્ષણ માટે લડવામાં આવ્યું હતું જેમાં ધર્મના રક્ષક પાંડવોનો યુદ્ધના અઢારમાં દિવસે વિજય થયો હતો. મહાભારતના યુદ્ધને કુરુક્ષેત્રના યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવમાં મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં જ લડવામાં આવ્યું હતું.

મહાભારતના યુદ્ધને લઈને માત્ર એક-બે નહીં પરંતુ ઘણી રસપ્રદ વાતો સામે આવી છે. જેમ કે આ યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે અર્જુનના સારથિ બન્યા હતા, જે ૧૮ દિવસ સુધી અટક્યા વગર ચાલ્યા હતા. શું તમે ક્યારેય એ કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે કે આ યુદ્ધ માત્ર ૧૮ દિવસ કેમ ચાલ્યું? તો ચાલો જાણીએ કે મહાભારતનું આ યુદ્ધ માત્ર ૧૮ દિવસ જ કેમ ચાલ્યું!

૧૮ નંબર સાથે મહાભારતના યુદ્ધનો શું સંબંધ છે: ૧૮ દિવસ સુધી ચાલેલા મહાભારત યુદ્ધ પાછળનું કારણ આ સંખ્યા સાથે જોડાયેલું છે. ૧૮ નંબર મહાભારત યુદ્ધનો સૌથી મહત્વપૂર્ણ નંબર છે. હકીકતમાં જો આપણે મહાભારત પુસ્તક પર ધ્યાન આપીએ, તો તેમાં કુલ ૧૮ જ અધ્યાય છે અને આ ૧૮ દિવસ માટે ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધના મેદાનમાં અર્જુનને ૧૮ ગીતાનું જ્ઞાન પણ આપ્યું હતું. મહાભારતનું યુદ્ધ પણ માત્ર ૧૮ દિવસ ચાલ્યું હતું. આખરે યુદ્ધના અંતે માત્ર ૧૮ લોકો જ બચ્યા હતા.

૧૮ દિવસ સુધી ચાલેલા યુદ્ધ પાછળનું બીજું મુખ્ય કારણ એ છે કે મહાભારત યુદ્ધ થયું તે પહેલાં જ મહર્ષિ વેદ વ્યાસે મહાભારત ગ્રંથની રચના કરી હતી. જો આપણે કુલ અધ્યાયોની સંખ્યા વિશે વાત કરીએ, તો તે ફક્ત ૧૮ અધ્યાય જ હતા. મતલબ કે દિવસમાં એક પ્રકરણ. મહર્ષિએ તેમની દિવ્ય દ્રષ્ટિથી આ યુદ્ધનું આયોજન કર્યું હતું. આ ગ્રંથનું લેખન ભગવાન શ્રી ગણેશ દ્વારા કરવામાં આવ્યું હતું.

તેથી જ મહાભારતનું યુદ્ધ ૧૮ દિવસ સુધી ચાલ્યુંઃ કારણ એ જ છે કે મહાભારતના ૧૮ અધ્યાય લખાઈ ચૂક્યા છે, તેથી આ યુદ્ધ પણ ૧૮ દિવસ ચાલ્યું. યુદ્ધના છેલ્લા દિવસે, ભીમે દુર્યોધનની જાંઘ પર હુમલો કર્યો, જેના પછી તેના મૃત્યુથી મહાભારત યુદ્ધ અને છેલ્લા અઢારમા અધ્યાયનો અંત આવ્યો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)