Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
અર્જુનના રથ પર કેમ બેઠા હતા હનુમાન? જાણો મહાભારત સાથે જોડાયેલી આ રોચક વાત..!! - Gujarat Beat

અર્જુનના રથ પર કેમ બેઠા હતા હનુમાન? જાણો મહાભારત સાથે જોડાયેલી આ રોચક વાત..!!

તમે બધાએ મહાભારતની કથા ઘણી વાર જોઇ અથવા સાંભળી હશે. એવું કહેવામાં આવે છે કે આ યુદ્ધમાં હનુમાનજી અર્જુનના રથ પર બેઠા હોવા પાછળનું વિશેષ કારણ છે. તેનું વર્ણન આનંદ રામાયણમાં આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં આજે અમે તમને તે જ વર્ણન વિશે જણાવીશું. વર્ણન અનુસાર, અર્જુન અને હનુમાનજી એકવાર રામેશ્વરમ મંદિરમાં મળે છે.

આ દરમિયાન અર્જુને હનુમાનજીને લંકા યુદ્ધનો ઉલ્લેખ કર્યો અને પૂછ્યું કે, “જ્યારે શ્રી રામ શ્રેષ્ઠ ધનુષ્ય ધારી હતા તો તેમને સમુદ્રને પાર કરવા માટે પથ્થરોનો પુલ કેમ બનાવ્યો?  જો હું હોત તો સમુદ્ર પર તીરનો પુલ બનાવ્યો હોત જેના પર આખી વાનર સેના સમુદ્રને પાર કરી શકે. આ સાંભળીને હનુમાનજીએ કહ્યું કે સમુદ્ર પર તીરોનો પુલ ટકી ના શકે.”

જો વાનર સેનાનો થોડોક પણ વધારે વજન તે પુલ પર પડે તો તે તૂટી જાય. આ સાંભળીને અર્જુનને થોડુંક ખોટું લાગ્યું અને તેણે હનુમાનજીની સાથે એક વિચિત્ર શરત લગાવી. અર્જુને કહ્યું કે, “તેની સામે એક તળાવ પર તે પોતાના બાણોથી પુલ બનાવશે. જો તે તમારા વજન તૂટે તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ અને જો તે તૂટે નહીં તો તમારે (હનુમાનજી) અગ્નિમાં પ્રવેશ કરવો પડશે.”

હનુમાનજીએ તેની આ શરત ખુશીથી સ્વીકારી અને કહ્યું કે, “જો આ પુલ મારા બંને પગનો વજન જો ઉઠાવી શકે હું હાર સ્વીકારીશ અને અગ્નિમાં પ્રવેશ કરીશ. આ પછી અર્જુને તેના ઉગ્ર તીરથી તળાવ પર એક પુલ તૈયાર કર્યો. પુલ તૈયાર થતાંની સાથે જ હનુમાનજી તેમના વિરાટ સ્વરૂપમાં આવ્યા અને ભગવાન શ્રી રામને યાદ કરીને તે તીરના પુલ પર ચડ્યા.”

પહેલું પગલું ભરતાંની સાથે જ આખો પુલ ધ્રૂજવા લાગ્યો ત્યાર પછી બીજો પગ મુક્યો અને ત્રીજો પગ મુકતાની સાથે જ તળાવના પાણીમાં લોહી વહેવા લાગ્યું. હનુમાનજી પુલ પરથી નીચે આવ્યા અને અર્જુનને કહ્યું કે, “હું પરાજિત થઈ ગયો છું, અગ્નિ તૈયાર કર. જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવી ત્યારે હનુમાનજી તેમાં પ્રવેશવા લાગ્યા પરંતુ તે જ ક્ષણે ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા અને તેમને અટકાવ્યા.”

ભગવાન બોલ્યા- હે હનુમાન, તમારું ત્રીજું પગલું પુલ પર પડ્યું હતું, તે સમયે હું પુલની નીચે કાચબા તરીકે પડ્યો હતો, તમારો પગ મૂકતાની સાથે જ મારા કાચબોના રૂપમાંથી લોહી નીકળ્યું. આ પુલ પહેલા જ પગલામાં તૂટી ગયો હોત જો હું કાચબાના રૂપમાં ન હોત તો આ સાંભળીને હનુમાન ખૂબ નારાજ થયા અને તેમણે માફી માંગી.

હું મોટો ગુનેગાર છું મેં તમારી પીઠ પર પગ મૂક્યો. તેમણે કહ્યું, “ભગવાન મારો આ ગુના કેવી રીતે દૂર થશે? ત્યારે કૃષ્ણએ કહ્યું આ બધું મારી ઈચ્છાથી થયું છે. નિરાશ ન થાઓ અને હું ઈચ્છું છું કે તમે અર્જુનના રથના ધ્વજ પર સ્થાન મેળવશો. તેથી જ દ્વાપરમાં શ્રી હનુમાનજી મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથ પર ધ્વજ સાથે બિરાજમાન છે.”