Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
ખોટી દિશામાં ક્યારેય ના પ્રગટાવો દીવો, દુર્ઘટનાનું બની શકે છે કારણ.. જાણો સાચી દિશા - Gujarat Beat

ખોટી દિશામાં ક્યારેય ના પ્રગટાવો દીવો, દુર્ઘટનાનું બની શકે છે કારણ.. જાણો સાચી દિશા

હિંદુ ઘરોમાં ભગવાનનું મંદિર હોવું અનિવાર્ય માનવામાં આવે છે. જ્યાં ઘરના તમામ સભ્યો ભગવાનને પ્રાર્થના કરે છે જેથી વ્યક્તિના જીવનમાં સુખ- સમૃદ્ધિ બનેલી રહે છે. તેવી સ્થિતિમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે, જેના પર જો ધ્યાન આપવામાં ના આવે તો, વ્યક્તિ માટે અપ્રિય ઘટનાઓ બની શકે છે.

વાસ્તવમાં જો પૂજા દરમિયાન પ્રગટાવવામાં આવતો દીવો યોગ્ય દિશામાં ના રાખવામાં આવે તો તેનાથી વાસ્તુ દોષ થઈ શકે છે. તે કોઈ દુર્ઘટનાને જાતે બોલાવવા જેવું છે. જો કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ દુર્ઘટના સતત થઈ રહી હોય તો તે વાસ્તુ દોષ હોવાનો સંકેત છે.

તેની પાછળ બીજું કંઈ નહીં પણ ખોટી દિશામાં દીવો પ્રગટાવવો હોઈ શકે છે. ચાલો જ્યોતિષ શાસ્ત્રને વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ કે ઘર, ઓફિસ કે દુકાનમાં કઈ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ જેથી આપણને વાસ્તુ દોષનો સામનો ન કરવો પડે!

જાણો દીવો પ્રગટાવવાની સાચી દિશાઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘર બનાવતી વખતે સૌથી પહેલા ધ્યાનમાં રાખો કે મંદિરની સાચી દિશા કઈ છે. હકીકતે ઉત્તર- પૂર્વ ખૂણામાં મંદિર બનાવવું વધુ સારું હોય છે.

તમને જણાવી દઈએ કે ભગવાનનું સ્થાપનપૂર્વની તરફ અને ઉગતા સૂર્યની દિશામાં મુખ રાખીને જ કરવું જોઈએ. દીવો પ્રગટાવવા માટે પણ આ દિશા યોગ્ય માનવામાં આવે છે. તેમ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને અપ્રિય ઘટનાઓનું જોખમ પણ ટળી જાય છે.

દીવો પ્રગટાવતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાનઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વાસ્તુ દોષના કારણે વ્યક્તિને ઘણી અપ્રિય ઘટનાઓનો સામનો કરવો પડે છે. જેમાં ઘરના મંદિરમાં અચાનક આગ લાગી જાય છે, જેના કારણે મોટી ઘટના પણ બની શકે છે.

જો તમે આ ઘટના જુઓ તો સમજો કે ભગવાન તમારા પર મહેરબાન છે પરંતુ આવી ઘટનાને ક્યારેય હળવાશથી ન લો અને ચોક્કસ જ્યોતિષની સલાહ લો. વાસ્તુ દોષોનું પણ ધ્યાન રાખો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)