Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
દિવાળીનું આ ડરામણા જીવ સાથે છે ખાસ કનેક્શન, ઘરમાં આવી જાય તો થઇ જશો ન્યાલ - Gujarat Beat

દિવાળીનું આ ડરામણા જીવ સાથે છે ખાસ કનેક્શન, ઘરમાં આવી જાય તો થઇ જશો ન્યાલ

હિંદુ ધર્મ અને વાસ્તુ શાસ્ત્રમાં અનેક શુભ- અશુભ સંકેતો, શુકન અને અપશુકનો વિશે જણાવવામાં આવેલું છે. તે ભવિષ્યમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓ દર્શાવે છે. દિવાળીના તહેવારને લઈને કેટલાક સારા અને ખરાબ સંકેતો જણાવવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે માં લક્ષ્મીની કૃપા આવવાની છે.

દિવાળી પર ગરોળી જોવીઃ જો દિવાળી પર ઘરમાં ગરોળી જોવા મળે તો તે ખૂબ જ શુભ હોય છે. ખાસ કરીને દિવાળીની રાત્રે ગરોળી જોવી ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે. તે ધનના દેવી માં લક્ષ્મીના આશીર્વાદનો સંકેત હોય છે. તમારું ઘર આખું વર્ષ સંપત્તિથી ભરેલું રહેશે.

જો તમે દિવાળીની રાત્રે તમારા ઘરના મંદિરમાં ગરોળી જુઓ તો માની લો કે તમને લોટરી લાગવાની છો. મંદિરમાં ગરોળી જોવી એ અપાર ધન પ્રાપ્તિનો પૂર્વ સંકેત છે. તેવી વ્યક્તિ અચાનક ધનવાન બની શકે છે. તેને મોટું પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે. કોઈ મોટો ફાયદો થઈ શકે છે. તે કહે છે કે ઘરમાં દેવી માં લક્ષ્મીનો વાસ થશે.

જો દિવાળીની રાત્રે ઘરમાં ઘણી બધી કાળી કીડીઓ જોવા મળે તો તે પણ ખૂબ જ શુભ સંકેત હોય છે. ઘરમાં તે પૈસા આવવાનો સંકેત કહેવાય છે.

જો તમને દિવાળીની પૂજા દરમિયાન ગરોળી દેખાય છે, તો તે એ વાતનો સંકેત છે કે માં લક્ષ્મી તમારા પર મહેરબાન છે. જો આવું થાય તો માં લક્ષ્મી પાસે પ્રાર્થના કરો કે તે તમને સુખ, સમૃદ્ધિ આપે અને તમારી મનોકામના પૂર્ણ કરે.

જો દિવાળીના દિવસે માથા પર ગરોળી પડી જાય તો તે પણ એક શુભ સંકેત છે. ગરોળીના શરીર પર ઝેર હોવાથી તરત જ સ્નાન કરો અને અન્ય કપડાં પહેરો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પણ દાન કરો.

જો તમને દિવાળીની રાત્રે દિવાલ પર ગરોળી દેખાય છે તો તે પણ તમારા ઘરમાં માં લક્ષ્મીના આગમનનો સંકેત છે. જો આવું થાય, તો ગરોળી પર કુમકુમ અને ચોખા છાંટો. ‘ઓમ મહાલક્ષ્મયૈ નમઃ’ મંત્રનો પણ પાઠ કરો. તમારી ઈચ્છા બોલો. તેનાથી તમારી સમસ્યાઓ દૂર થશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)