Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
આકાશથી લાવીને જમીન પર પટકી દેશે 'શનિ', પાંચ રાશિના લોકોને થશે ભયંકર કષ્ટ - Gujarat Beat

આકાશથી લાવીને જમીન પર પટકી દેશે ‘શનિ’, પાંચ રાશિના લોકોને થશે ભયંકર કષ્ટ

શનિ અઢી વર્ષે પોતાનું રાશિ પરિવર્તન કરે છે. વર્ષ ૨૦૨૫ માં શનિ ગોચર કરશે અને મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે પાંચ રાશિના લોકો માટે ખરાબ સમયની શરૂઆત થઈ શકે છે.

જ્યારે પણ નવ ગ્રહોમાં સૌથી ધીમી ગતિ ધરાવતા ગ્રહ શનિ પોતાની રાશિમાં ફેરફાર કરે છે, ત્યારે તેની તમામ ૧૨ રાશિના જીવન પર મોટી અસર પડે છે. હાલમાં શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં છે અને માર્ચ ૨૦૨૫ માં શનિ મીન રાશિમાં ગોચર કરશે અને ૨૦૨૭ સુધી તેમાં જ રહેશે.

શનિની સાડાસાતી- નાની પનોતી: શનિનું મીન રાશિમાં ગોચર થતાં જ ત્રણ રાશિના લોકો માટે સાડાસાતી અને બે રાશિના લોકો માટે નાની પનોતી શરૂ થશે. આ કારણે ૨૦૨૫ માં શનિની મેષ, કુંભ અને મીન રાશિમાં સાડાસાતી રહેશે. જ્યારે શનિનો પ્રભાવ સિંહ અને ધન રાશિ પર રહેશે. આ રાશિઓના જાતકોને શનિ ખૂબ જ પરેશાન કરશે.

મેષ: શનિ મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ મેષ રાશિ પર શનિની સાડાસાતી શરૂ થશે. મેષ રાશિ પર સાડાસાતીનું આ પ્રથમ ચરણ હશે અને દરેક બાબતમાં મુશ્કેલીઓ વધારશે. આવકમાં ઘટાડો થશે. તમે તમારી નોકરી ગુમાવી શકો છો. પૈસા ડૂબી શકે છે.

કુંભ: કુંભ રાશિના લોકો માટે આ સાડાસાતીનો છેલ્લો તબક્કો રહેશે. તમારા લોકો સાથે વિવાદ થશે. કરિયરમાં ભારે ઉતાર- ચઢાવ આવી શકે છે. વેપારમાં નુકસાન થઈ શકે છે.

મીન: મીન રાશિના લોકો માટે આવતા વર્ષે સાડાસાતીનો બીજો તબક્કો શરૂ થશે. સાડાસાતીનો બીજો તબક્કો સૌથી મુશ્કેલ રહેવાનો છે. તેનાથી આર્થિક નુકસાન થાય છે અને રોગો ઘેરી લે છે. પ્રગતિમાં અવરોધો છે.

(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)