Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
ધનતેરસના દિવસે કરો માત્ર પાંચ રૂપિયાનો આ ઉપાય, દુર થઇ જશે પરેશાનીઓ- થઇ જશો અમીર - Gujarat Beat

ધનતેરસના દિવસે કરો માત્ર પાંચ રૂપિયાનો આ ઉપાય, દુર થઇ જશે પરેશાનીઓ- થઇ જશો અમીર

હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. તહેવારનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. આસો મહિનાના વદ પક્ષની ત્રયોદશીના દિવસે ધનતેરસનો તહેવાર દરેક ઘરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, આ વખતે ધનતેરસનો તહેવાર મંગળવારે એટલે કે ૨૩ ઓક્ટોબર રવિવારે ઉજવવામાં આવશે.

ધનતેરસને ધન, સમૃદ્ધિ અને વૈભવનું પ્રતિક માનવામાં આવે છે, ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીકની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે, તો આજે અમે તમને આ દિવસે કરવાના ઉપાયો જણાવી રહ્યા છીએ, તો ચાલો જાણીએ. ભગવાન ધન્વંતરિનો જન્મ ધનતેરસના દિવસે થયો હતો, આવી સ્થિતિમાં ઘરેણાં, વાસણો, વાહન વગેરે ખરીદવું ખૂબ જ શુભ છે.

ધનતેરસના દિવસે કોઈપણ દુકાનમાંથી માત્ર પાંચ રૂપિયાના આખા સુકા ધાણા ખરીદો અને પછી તેને માતા લક્ષ્મી અને ભગવાન ધનવંતરીકની સામે રાખો. આ સાથે ભગવાનની સામે તમારી મનોકામનાઓ જણાવો અને પછી તેને માટીમાં દાટી દો. એટલું જ નહીં, થોડા ધાણાને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો.

આવું કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે. જો તમે કોઈપણ પ્રકારની આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા છો અને તમારી જાતને દેવાથી મુક્ત કરવા માંગો છો, તો ધનતેરસના દિવસે પાંચ રૂપિયાનો દીવો ખરીદીને લાવો અને ઘરની બહાર દીપક માળા બનાવીને સળગાવો.

આ ઉપાયને કરવાથી બધી મનોકામના પૂરી થશે. હિંદુ ધર્મમાં શુભ કાર્યોમાં પતાસાના પ્રયોગ ભોગના રૂપમાં કરવામાં આવે છે તેવામાં જયારે ધનતેરસની પૂજા કરીએ તો પતાસાનો પ્રયોગ કરવો, માતા લક્ષ્મીને ધનતેરસે પૂજા કરતા પતાસાનો ભોગ લગાવવો. તેનાથી તમારી ઉપર લક્ષ્મીજીની કૃપા થશે.