Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
ધનતેરસ પર સાવરણી જ નહીં દસ રૂપિયાની આ વસ્તુ પણ ચમકાવી શકે છે ભાગ્ય, ધનના દેવી નહીં છોડે સાથ - Gujarat Beat

ધનતેરસ પર સાવરણી જ નહીં દસ રૂપિયાની આ વસ્તુ પણ ચમકાવી શકે છે ભાગ્ય, ધનના દેવી નહીં છોડે સાથ

ધનતેરસના દિવસથી જ દિવાળીના તહેવારની શરૂવાત થાય છે. આ વખતે દિવાળીનો તહેવાર ૨૩ ઓક્ટોબરના દિવસે ઉજવવામાં આવશે. તે દિવસે કરેલ કેટલાક ખાસ ઉપાયો વ્યક્તિના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ શુભ વસ્તુઓ ખરીદવાની અને ઘણી વસ્તુઓ ના ખરીદવાની વાત કરવામાં આવી છે.

તે દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી ઘરમાં માં લક્ષ્મીજીનો વાસ થાય છે.

તમને જણાવી દઈએ કે સાવરણીને માં લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ સાવરણી સાથે ધનતેરસના દિવસે મીઠું ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે દિવસે તમારે દસ રૂપિયાની કિંમતનું મીઠાનું પેકેટ અવશ્ય ખરીદવું જોઈએ. તે દિવસે મીઠું ખરીદવાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિના જીવનમાં ક્યારેય આર્થિક સંકટ નથી આવતો.

ધનતેરસના દિવસે મીઠાના કરો આ ઉપાયો: ધનતેરસના દિવસે મીઠું ખરીદવું ખૂબ જ ફળદાયક માનવામાં આવે છે. ધનતેરસના દિવસે ખરીદેલા મીઠાને આખો દિવસ કોઈ પણ વસ્તુમાં વાપરવાથી વ્યક્તિના ધનમાં વધારો થાય છે અને ધનમાં વધારો થાય છે.

ઘરના પૂર્વ અને ઉત્તર દિશાના ખૂણામાં કાચના વાસણમાં થોડું મીઠું રાખવાથી ઘરની ગરીબી દૂર થાય છે. એટલું જ નહીં પૈસા આવવાના નવા રસ્તા ખુલે છે. તે દિવસે ખાસ કરીને ઘરમાં મીઠાના પાણીથી પોતું કરવાથી વિશેષ લાભ થાય છે. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે.

જો પતિ- પત્નીના સંબંધોમાં ખટાશ રહે છે તો ધનતેરસના દિવસે બેડરૂમમાં મીઠાનો ટુકડો અથવા આખું મીઠું રાખો અને રાત્રે સૂઈ જાઓ. તેનાથી પતિ- પત્ની વચ્ચે પ્રેમ વધે છે.

શાસ્ત્રોમાં કહેવાયું છે કે મીઠું શુક્ર અને ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેવી સ્થિતિમાં ક્યારેય પણ લોખંડ કે સ્ટીલના વાસણમાં મીઠું ના રાખવું. તેમ કરવાથી પરિવારના સભ્યો પર ચંદ્ર અને શનિ એક સાથે નકારાત્મક અસર કરે છે. કહેવાય છે કે કાચના વાસણમાં મીઠું રાખવું જોઈએ. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)