Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
મની પ્લાન્ટ અને દુધનો આ ઉપાય છે ખુબજ ચમત્કારિક, ચુંબકની જેમ ખેંચાઈ આવે છે ધન - Gujarat Beat

મની પ્લાન્ટ અને દુધનો આ ઉપાય છે ખુબજ ચમત્કારિક, ચુંબકની જેમ ખેંચાઈ આવે છે ધન

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે. પરંતુ તેની પ્રથમ શરત એ હોય છે કે તેને યોગ્ય દિશામાં લગાવવામાં આવે. મની પ્લાન્ટને યોગ્ય દિશામાં રાખવાથી પરિવારના સભ્યો પર સકારાત્મક અસર પડે છે. આ કારણે નોકરી- ધંધામાં લાભ થાય છે. તેમજ આર્થિક સંકડામણમાંથી મુક્તિ મળે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટનો સંબંધ કુબેર અને બુધ ગ્રહ સાથે હોય છે. આ કારણથી તેને ઘરમાં લગાવવાથી સુખ- સમૃદ્ધિ આવે છે. વાસ્તુમાં મની પ્લાન્ટના ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. તેનું પાલન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને માતા લક્ષ્મીનો વાસ રહે છે. ચાલો જાણીએ વાસ્તુ સંબંધિત આ નિયમો વિશે.

મની પ્લાન્ટ લગાવવાના વાસ્તુ નિયમો: મની પ્લાન્ટ અને દૂધના ઉપાય: વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે મની પ્લાન્ટ અને દૂધના આ ઉપાય કોઈપણ વ્યક્તિને ધનવાન બનાવી શકે છે. મની પ્લાન્ટમાં દૂધ નાખવાની આ રીતને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીને દૂધ કે પછી સફેદ વસ્તુઓ ખૂબ જ પ્રિય હોય છે. તેથી જો મની પ્લાન્ટમાં દૂધ ચઢાવવામાં આવે તો તેની વૃદ્ધિની સાથે વ્યક્તિની આવકમાં પણ વધારો થાય છે. તેની સાથે જ આ ઉપાયો કરવાથી ઘરના દરેક સભ્યનું કિસ્મત પણ ચમકે છે.

કેવી રીતે કરશો આ ઉપાયઃ જ્યારે તમે મની પ્લાન્ટમાં પાણી નાખો ત્યારે તેમાં કાચા દૂધના થોડા ટીપા મિક્સ કરીને પ્લાન્ટમાં નાંખો. તેવી સ્થિતિમાં મની પ્લાન્ટ ઉપરની તરફ વધશે અને પરિવારના સભ્યોની પણ ઉપરની તરફ પ્રગતિ કરતા જશે અને માતા લક્ષ્મીની કૃપા વરસતી રહેશે.

મની પ્લાન્ટ આ દિશામાં રાખોઃ વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે મની પ્લાન્ટ ત્યારે જ તેની અસર દર્શાવે છે જ્યારે તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે. તેવી સ્થિતિમાં જણાવો કે મની પ્લાન્ટની સાચી દિશા દક્ષિણ- પૂર્વ એટલે કે અગ્નિ કોણ છે. તેને આ દિશામાં રાખવું શુભ હોય છે. જો તેને આ દિશામાં રાખવામાં આવે તો વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી રહે છે.

આ વાતોનું રાખો ધ્યાનઃ મની પ્લાન્ટના છોડને ઘરમાં ધનની વૃદ્ધિ માટે લગાવવામાં આવે છે. એટલે ઘરની બહાર મની પ્લાન્ટ ક્યારેય ના લગાવો. જો તેને બુરી નજર લાગી જાય છે તો તે જલ્દી સુકાઈ જાય છે.

મની પ્લાન્ટની શાખાઓ ઝડપથી વધે છે. તેથી, ધ્યાન રાખો કે તે જમીન તરફ નીચેની તરફ ના ફેલાય. તેના બદલે, તેની શાખાઓ ઉપરની તરફ વધવી જોઈએ. તેના વેલા જમીન તરફ ફેલાવવાથી અશુભ અસર જોવા મળે છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)