Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
બિલાડીથી વધારે અશુભ હોય છે આ સાત જાનવરોનું રસ્તો કાપવું, કષ્ટથી મૃત્યુ સુધીનો થઇ શકે છે સામનો - Gujarat Beat

બિલાડીથી વધારે અશુભ હોય છે આ સાત જાનવરોનું રસ્તો કાપવું, કષ્ટથી મૃત્યુ સુધીનો થઇ શકે છે સામનો

કલ્પના કરો કે તમે કોઈ સારા કામ માટે ક્યાંક જઈ રહ્યા છો અને રસ્તામાં અચાનક એક બિલાડી તમારો રસ્તો ઓળંગી જાય છે. તો નક્કી એ જોઈને તમારા મનમાં ડર કે મૂંઝવણ પેદા થઇ જશે. તમારા પગ એક ક્ષણ માટે થંભી જશે. આપણે ઘણી વાર સાંભળ્યું છે કે બિલાડીનો રસ્તો ઓળંગવો અશુભ છે.

આવી સ્થિતિમાં, તમે થોડીવાર માટે રોકાઈ જશો અથવા તમે રસ્તો બદલી નાખશો. પરંતુ શું તમે જાણો છો કે બિલાડી સિવાય બીજા પણ ઘણા જાનવરો હોય છે જેમનું રસ્તો કાપવું ખૂબ જ અશુભ ગણાય છે. શુકન શાસ્ત્ર અનુસાર, ચોક્કસ સંજોગોમાં કોઈ ખાસ પ્રાણી- પક્ષીનો રસ્તો કાપવો એ ખૂબ જ મોટું અપશુકન માનવામાં આવે છે. તેનાથી ના માત્ર તમારા કામમાં નિષ્ફળતા પરંતુ મૃત્યુ પણ તમને ગળે લગાવી દે છે.

સાપઃ શુકનશાસ્ત્ર અનુસાર જો કોઈ સાપ તમારો રસ્તો ડાબેથી જમણે ઓળંગે તો તે અશુભ છે. તેનાથી તમારું કામ બગડી શકે છે. દુશ્મનો દ્વારા નુકસાન થવાનો ભય પણ રહે છે. નોળિયો: દિવસ દરમિયાન નોળિયો જોવાનું શુભ નથી હોતું. તેનો અર્થ એ છે કે દુશ્મન તમારા કામને બગાડવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો છે.

ભૂંડ: તમે ક્યાંક જઈ રહ્યા છો અને જો ડુક્કર ડાબી બાજુથી રસ્તો ઓળંગે તો પણ તે સારું માનવામાં નથી આવતું. તેનો અર્થ એ છે કે તમારે તમારા કાર્યને પૂર્ણ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કાદવમાં લપેટાયેલો કૂતરોઃ જો તમે રસ્તામાં કાદવમાં લપેટાયેલો કૂતરો જુઓ અને તે તમારો રસ્તો કાપી નાખે તો તે અશુભ છે. તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં દુઃખનું પ્રમાણ વધવાનું છે.

ગાયનું ટોળું: જો તમે ક્યાંક જઈ રહ્યા હોવ અને અચાનક ગાયનું ટોળું તમારો રસ્તો રોકે તો તમારે ત્યાં જ રોકાઈ જવું જોઈએ. વાસ્તવમાં ગાય તમને સંકેત આપી રહી છે કે તમે આગળ જોખમમાં છો. તેઓ એક રીતે તમારું રક્ષણ કરે છે. આ સિવાય લાંબી યાત્રા પર જતી વખતે જો ગાયના ભાંભરવાનો અવાજ સંભળાય તો પણ સંકેત સમજી લેવો જોઈએ. તે ગાયો સૂચવે છે કે તમારી યાત્રા કષ્ટદાયક રહેશે.

કાગડોઃ ક્યાંક બહાર જતી વખતે કાગડો તમારા માથાને અડકે તો સમજવું કે તમે મોટી મુશ્કેલીમાં છો. તેનો અર્થ એ છે કે તમને થોડી શારીરિક પીડા થશે. તમે કોઈ રોગના શિકાર બની શકો છો, જેના કારણે તમને મૃત્યુ જેવી પીડા થઈ શકે છે. હવે તમે જાણો છો કે રસ્તામાં કયા પ્રાણીને જોવાનો અર્થ શું છે. જો તમે આ માન્યતાઓમાં વિશ્વાસ કરો છો, તો સંકેતોને સમજો અને તે મુજબ તમારું કાર્ય કરો.

તેમનું કહેવું છે કે દુર્ઘટનાથી સાવધાની ભળી. બસ આ માન્યતાઓ એક વાર પણ સ્વીકારી લેવામાં આવે તો ફાયદો તો થશે, નુકસાન કઈ થવાનું નથી. જો તમને આ જાણકારી પસંદ આવી હોય, તો પછી તેને અન્ય લોકો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. (નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને ધારણાઓ પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ કરતું નથી.)