Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
ખુબજ ચમત્કારિક છે પાંચ રૂપિયાના સિક્કાનો આ ઉપાય, કરતા જ ગરીબી થઇ જશે છુમંતર.. આજે જ કરી લો ટ્રાય! - Gujarat Beat

ખુબજ ચમત્કારિક છે પાંચ રૂપિયાના સિક્કાનો આ ઉપાય, કરતા જ ગરીબી થઇ જશે છુમંતર.. આજે જ કરી લો ટ્રાય!

આજના સમયમાં દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તેને જીવનમાં દરેક પ્રકારની સુખ- સુવિધાઓ મળે. આ માટે તેઓ દિવસ- રાત મહેનત કરે છે. પરંતુ માં લક્ષ્મીની નારાજગીને કારણે અથવા ગ્રહોની સ્થિતિના કારણે વ્યક્તિને તેની મહેનતનું પૂરું ફળ મળતું નથી. તેવી સ્થિતિમાં વ્યક્તિનું અમીર બનવાનું સપનું અધૂરું રહી જાય છે.

જો તમારી સાથે પણ આવું જ બન્યું હોય તો જ્યોતિષમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. ઘણી વખત વ્યક્તિનું દુર્ભાગ્ય તેનો સાથ નથી છોડતું અને તેના પરિવારની બધી ઈચ્છાઓ પૂરી ના થવા પર તે નિરાશ થઈ જાય છે. જાણો કેવી રીતે વ્યક્તિ માત્ર પાંચ રૂપિયામાં પોતાનું અમીર બનવાનું સપનું પૂરું કરી શકો છો. ચાલો શ્રીમંત બનવાની સરળ યુક્તિઓ વિશે વાત કરીએ.

અમીર બનવાની આસાન ટ્રિક્સઃ જો કે, જ્યોતિષમાં ધનવાન બનવાની ઘણી રીતો વિશે જણાવવામાં આવ્યું છે. પરંતુ આજે અમે તમને પાંચ રૂપિયાના એક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા ઘરમાં માં લક્ષ્મીને ખેંચી લાવશે. તમારા પર માં લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા ઘરમાં નિવાસ કરશે, તમને રાતોરાત ધનવાન બનાવશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે પણ ધનવાન બનવા માંગો છો તો પાંચ રૂપિયાના સિક્કાનો આ ઉપાય કરવા માટે સૌથી પહેલા અક્ષત અથવા દુર્વાથી ભરેલા એક કળશની સ્થાપના કરો અને ત્યાર બાદ પાંચ રૂપિયાનો સિક્કો એ કળશમાં રાખો. હવે આ કળશની નિયમિત પૂજા કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. અને ધીરે ધીરે ધન લાભનો યોગ રચાય છે.

આ સિવાય પાંચ રૂપિયાનો આ ઉપાય તમારી કિસ્મત ચમકાવવાની પણ શક્તિ ધરાવે છે. આ માટે એક સિક્કો લો અને તેના પર તમારા નામનો પહેલો અક્ષર સિંદૂર લગાવો. આ પછી આ પાંચ રૂપિયાના સિક્કાને છત અથવા પાણીની ટાંકી પાસે રાખો.

આ સિક્કાને આખી રાત ત્યાં જ છોડી દો અને બીજા દિવસે પૂજા સ્થાન પર રાખો. આ પછી પૂજા સ્થાન પર દેવી લક્ષ્મીનું આહ્વાન કરો. આ સિક્કાને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરી અથવા પર્સમાં રાખો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે. અને ઘરમાં ધનહાનિ નહીં થાય. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)