Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
મની પ્લાન્ટ અને દુધનો કરો આ ચમત્કારિક ઉપાય, ધન- સંપત્તિ અને પૈસાથી ભરાઈ જશે ઘર - Gujarat Beat

મની પ્લાન્ટ અને દુધનો કરો આ ચમત્કારિક ઉપાય, ધન- સંપત્તિ અને પૈસાથી ભરાઈ જશે ઘર

વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટનો સંબંધ બુધ અને કુબેર ગ્રહ સાથે હોવાનું કહેવાય છે. મની પ્લાન્ટની અસરથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. જો તે યોગ્ય દિશામાં લગાવવામાં આવેલો હોય તો. ઘરમાં મની પ્લાન્ટને યોગ્ય દિશામાં લગાવવાથી પરિવારના સભ્યો પર સકારાત્મક અસર પડે છે.

વેપાર અને નોકરીમાં ફાયદો થાય. આ સાથે ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. ઘરમાં સુખ- સમૃદ્ધિનો વાસ રહે છે. જો મની પ્લાન્ટ સંબંધિત વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં સમૃદ્ધિ આવે છે.

મની પ્લાન્ટ અને દૂધના કરો આ ચમત્કારી ઉપાય: વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટમાં દૂધ રેડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીને સફેદ વસ્તુઓ ખૂબ જ પ્રિય હોય છે.

તેથી જો મની પ્લાન્ટમાં દૂધ ચઢાવવામાં આવે તો છોડનો વિકાસ સારો થાય છે, મની પ્લાન્ટની વૃદ્ધિ સાથે ઘરના પરિવારના સભ્યોની આવકમાં વધારો થાય છે. ઘરના તમામ સભ્યો સ્વસ્થ રહેશે.

જ્યારે મની પ્લાન્ટમાં પાણી નાખવામાં આવે ત્યારે પાણીમાં દૂધના થોડા ટીપા પણ મિક્સ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જેમ જેમ મની પ્લાન્ટ ઉપર ચડશે તેમ તેમ ઘરની પ્રગતિ થાય છે. પરિવારના સભ્યોની પ્રગતિ થશે.

મની પ્લાન્ટને હંમેશા સાચી દિશામાં રાખવો જોઈએ. મની પ્લાન્ટની સાચી દિશા દક્ષિણ- પૂર્વ ખૂણો હોય છે. આ દિશામાં મની પ્લાન્ટ રાખવો શુભ હોય છે. તેનાથી વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. કહેવાય છે કે મની પ્લાન્ટ અને દૂધનો આ ચમત્કારી ઉપાય લોકોને ધનવાન બનાવી શકે છે.

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત બીટ કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન નથી આપતું. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.