તમે બધાએ દરેક રામલીલામાં ભગવાન રામ અને રાવણના યુદ્ધના દ્રશ્યો જોયા જ હશે. રાવણના મહેલનો પ્રસંગ એમાં જરૂરથી આવે છે. તે મહેલ લંકામાં હતો, જેને હવે શ્રીલંકા કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે તે મહેલ કુબેર દેવે પોતે બનાવ્યો હતો. પરંતુ શ્રીલંકાના કયા ભાગમાં આટલો મોટો મહેલ છે, તે વિશે તમે ઘણીવાર મૂંઝવણમાં રહેશો. આજે અમે તમને રાવણના મહેલનું ચોક્કસ સ્થાન અને તેના ગુણો વિશે જણાવીશું.
એક વિશાળ ખડક પર બનેલો છે આ મહેલ: પુરાણો અનુસાર રાવણનો આ મહેલ શ્રીલંકામાં સિગિરિયા નામની જગ્યા પર છે. આ મહેલ એક વિશાળ ખડક પર બનેલો છે. આ મહેલમાં જવા માટે હજારો સીડીઓ ચડવી પડતી હતી. કહેવાય છે કે આ મહેલ કુબેર દેવે પોતે બનાવ્યો હતો.
આ મહેલમાં નહેર- ફુવારા અને ટેરેસ બગીચા છે. વરસાદી પાણીના રક્ષણ માટે ત્યાં એક વિશાળ કુંડ બનાવવામાં આવ્યો હતો, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થતો હતો.
રાવણનું સામ્રાજ્ય ઘણા વિસ્તારોમાં ફેલાયેલું હતું: રાવણના આ મહેલમાં લગભગ ૧ હજાર સીડીઓ હતી. આ સાથે મહેલમાં ઉપરના માળે જવા માટે લિફ્ટની પણ વ્યવસ્થા હતી. એવું કહેવાય છે કે અપહરણ પછી, રાવણે શરૂઆતમાં સીતાજીને આ મહેલમાં રાખ્યા હતા, બાદમાં તેમને અશોક વાટિકામાં મોકલી દેવામાં આવ્યા હતા.
વિશ્વના સૌથી શક્તિશાળી રાજા ગણાતા રાવણનું સામ્રાજ્ય અનુરાધાપુરા, કેન્ડી, પોલોન્નારુવાથી મધ્ય શ્રીલંકાના બદુલ્લા અને નુવારા એલિયા સુધી ફેલાયેલું છે.
શું રાવણની લાશ હજુ પણ સુરક્ષિત છે? શાસ્ત્રો અનુસાર રાવણના વધ બાદ તેના ભાઈ વિભીષણે રીતિ-રિવાજ મુજબ તેનો અંતિમ સંસ્કાર કર્યો હતો. જોકે, શ્રીલંકાના સ્થાનિક મીડિયાનો દાવો છે કે રાવણનો મૃતદેહ હજુ પણ સુરક્ષિત છે.
તેને રાગેલાના જંગલોમાં લગભગ 8 હજાર ફૂટની ઉંચાઈએ રાખવામાં આવ્યો છે. મૃત શરીરને સુરક્ષિત રાખવા માટે, એક અનોખો કોટિંગ લગાવવામાં આવ્યો છે, જેના કારણે તે હજારો વર્ષ પછી પણ સુરક્ષિત રહેલો છે.